PRATHMIK SIKSHAK : 25મી મે ને રવિવારના રોજ માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના ઉપક્રમે સતત ચોથા વર્ષે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ કરવાનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે
માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના ઉપક્રમે, સતત ચોથા વર્ષે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો (પેન્શનરો) માટે ઓનલાઈન હયાતીની કરાઈ કરવાનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી દિલીપભાઈ જૈન અને ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠકે આ કેમ્પની માહિતી આપતા જણાવ્યું હતું કે, હયાતીની ખરાઈ કરવાનો નિ:શુલ્ક કેમ્પ તા.25-05 ને રવિવારના સવારના 9:30 થી 12 વાગ્યા દરમ્યાન, માંડવીના નાનાલાલ વોરા માર્ગ ઉપર આવેલા, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં રાખવામાં આવેલ છે.
ઓનલાઇન ખરાઈ કરવાની સેવા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહના ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા અને મંત્રી દિલીપભાઈ જૈનના સુપુત્ર જીગર દિલીપભાઈ જૈન કરશે.
જે નિવૃત્ત પ્રાથમિક શિક્ષક (પેન્શનર)ને હયાતીની ઓનલાઈન ખરાઈ કરાવવાની હોય તેમણે પોતાના PPO નંબર (પેન્શનની બુક), જે બેન્કમાં પેન્શન જમા થતું હોય તે બેંકના ખાતા નંબર (પાસબુક) અને આધાર કાર્ડ એમ ત્રણ વસ્તુ લાવવાની રહેશે.
આ કેમ્પમાં અલ્પાહાર,ચા તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા, સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહના સૌજન્યથી કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો