THE INDIAN SOCIOLOGIST

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાહેલી -કચ્છ યુનિટ 9 દ્વારાનિઃશુલ્ક હોમીયોપેથીક કેમ્પ યોજાયો

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાહેલી -કચ્છ યુનિટ 9 દ્વારાનિઃશુલ્ક હોમીયોપેથીક કેમ્પ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાહેલી -કચ્છ યુનિટ 9 દ્વારા સત્સંગ આશ્રમ ખાતે તા.૧૬/૬ ના રોજ નિઃશુલ્ક હોમીયોપેથિક કેમ્પ તમામ રોગો માટે રાખવામા આવેલ હતો જેમા બહોળી સંખ્યા મા લોકોએ લાભ લીધેલ હતો

દિપ પ્રાગટય અતિથિ વિશેષ શ્રીમતી ચાંદનીબહેન સોની, કેમ્પ માં સેવા આપનાર ડો મનીષાબહેન સોની (BHMS) ફેડરેશન વાઇસ પ્રેસિડન્ટ યોગેશ ભાઈ ત્રિવેદી યુનિટ ડાયરેક્ટર યોગેશ ભાઈ મહેતા મહંતશ્રી :દીપ્તાનંદજી મહારાજ પ્રમુખ શ્રીમતી જયશ્રીબહેન સોનીના વરદ્ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.




મીઠો આવકાર અને શાબ્દિક સ્વાગત કાશ્મીરાબેન રૂપારેલ આપ્યો હતો જ્યારે કેમ્પ વિશે ડો.મનિષાબેન સોની એ હોમીયોપેથીક સારવાર વિશે વિગતે સમજ આપી હતી. યુનિટ ડાયરેકટર યોગેશ કુમાર મહેતા એ આવા લોક ઉપયોગી માનવસેવાના કાર્યો કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. સત્સંગ આશ્રમ ના મહંત શ્રી દિપતાનંદજી મહારાજ આ સેવાયજ્ઞ ને કાયમી શરૂ રાખવા અને આયુર્વેદ તરફ વળવા આહવાન કર્યું હતું

ઉપપ્રમુખ:વિભાબહેન ઓઝા પાવઁતીબહેન ગોર,અપણાઁબહેન વ્યાસ, ખજાનચી બંસરીબહેન સુરુ, એડવોકેટ કાશ્મીરાબહેન રૂપારેલ જોશનાબેન દૈયા,ડોલરબા ભાટી, પુવઁ પ્રમુખ:જયોતિબહેન મોતા, પુવઁ પ્રમુખ :ઉષાબહેન સોની, નરેનભાઈ સોની હાજર રહીને કેમ્પ ને સફળ બનાવવા મદદરૂપ થયા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી બંસરી બેન શુરૂએ કર્યું હતું

www.indiansociologist.in
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST