અખિલ ભારતીય સમવાયાંગ સૂત્ર પ્રશ્ન સ્પર્ધાનું જાહેર થતું પરિણામ
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આચાર્યશ્રી પરમ પૂજ્ય નવીનચંદ્રજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તેમના શિષ્ય આગમપ્રેમી પરમ પૂજ્ય સુરેશમુનિ મહારાજ સાહેબ યોજીત અખિલ ભારતીય સતત ૩૬ માં વર્ષે યોજાયેલી સમવાયાંગ સૂત્ર સ્પર્ધામાં ૧૦૦ થી વધારે સ્પર્ધકોઓએ ભાગ લીધો હતો.
માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ સંયમી વિભાગમાં પરમ પૂજ્ય ભાવનાબાઈ મહાસતી (દરિયાપુરી સંપ્રદાય) અને પરમ પૂજ્ય આશાબાઈ મહાસતી (અજરામર સંપ્રદાય) પ્રથમ નંબરે, પરમ પૂજ્ય સદગુણાભાઈ મહાસતી (આઠ કોટી મોટીપક્ષ) જૈન સંઘ અને પરમ પૂજ્ય ઈશિતાબઈ મહાસતી (ગોપાલ સંપ્રદાય) દ્વિતીય નંબરે જ્યારે પરમ પૂજ્ય સુનિતાબાઈ મહાસતી (આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘ) તૃતીય નંબરે વિજેતા થયેલ છે.
શ્રાવક વિભાગમાં સુધાબેન આર ડગલી (સુરેન્દ્રનગર) પ્રથમ નંબરે, ભારતીબેન એસ. પંચમીયા (ઘાટકોપર - મુંબઈ) દ્વિતીય નંબરે, ડો. કેતકી યોગેશભાઈ શાહ (સંઘાણી) તૃતીય નંબરે જ્યારે વિશાખાબેન એસ. શાહ (સંઘાણી) વિજેતા જાહેર થયેલ છે.
અન્ય પરિણામ જાણવા વિમલાબેન (તલવાણા - કચ્છ) નો તેમના મોબાઈલ નંબર - ૯૬૧૯૬૯૩૫૪૧ ઉપર સંપર્ક કરવા સુરેશમુની મહારાજ સાહેબે જણાવ્યું છે.
www.indiansociologist.in