બી.એસ.એફ.ના જવાનોને આઠ ડીપ ફ્રીજનું લોકાર્પણ
ઓપરેશન સિંદૂર દરમ્યાન ફરજ બજાવેલ બી.એસ.એફ.ના જવાનોને દાતાશ્રીઓના સહયોગથી આઠ ડીપ ફ્રીજનું લોકાર્પણ કરાયું
ઓપરેશન સિંદૂરના B.S.F. (બી.એસ.એફ.) ૬૮ બટાલિયનના કચ્છ બોર્ડર ઉપરના જવાનો માટે સ્ટોરેજ કરી શકે તે માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરા દ્વારા દાતાશ્રીઓના આર્થિક સહયોગથી આઠ (૮) ડીપ ફ્રિજનું લોકાર્પણ કરાયું હતું.
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષી અને માંડવીના સામાજિક જૈન અગ્રણી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, દાતાશ્રી નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન - મુંબઈ (હસ્તે :- નિશા પિયુષભાઈ શાહ - ભાવનગર (હાલે -મુંબઈ) તરફથી ૬ ડીપ ફ્રીઝ અને દાતાશ્રી નવલભાઇ વેદ પરિવાર અને રાજુભાઈ વેદ પરિવાર તરફથી ૨ ડીપ ફ્રીજ સહિત કુલ ૮ (આઠ) ડીપ ફ્રીજનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવેલ હતું.
ડીપ ફ્રીઝનું લોકાર્પણ સમારોહમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષી, સમિતિના સક્રિય કાર્યકર અને ગોધરા (તા. માંડવી)ની સરકારી હાઈસ્કૂલના પૂર્વ નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડા, નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલાણ અને અંધજન મંડળ (K.C.R.C.) ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈથી ચંદ્રકાંતભાઈ મોતાએ શુભેચ્છા પાઠવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દાતાશ્રી નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન - મુંબઈ (હસ્તે :- નિશા પિયુષભાઈ શાહ - ભાવનગર (હાલે મુંબઈ) તરફથી આ અગાઉ પણ B.S.F.ના જવાનોને માટે પાણીના કુલર અને બેન્ચીસ માટે તેમજ કચ્છના દિવ્યાંગો માટે ટ્રાઈસિકલ તથા કચ્છમાં સૌપ્રથમ ઇલેક્ટ્રીક ટ્રાયસિકલ માટે આર્થિક સહયોગ મળેલ હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષીએ જણાવ્યું હતું. આ ઉપરાંત આજ દાતા તરફથી દિવ્યાંગો માટે સ્વરોજગારી માટે અનેક કીટ તથા માલ સાથે કેબિન પણ આપવામાં આવેલ છે.
શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરા દ્વારા સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોષી દ્વારા દેશ-વિદેશના દાતાશ્રીઓના સહયોગથી સમગ્ર કચ્છમાં આ પ્રકારના સત્કાર્યો છેલ્લા ૨૬ વર્ષથી અવિરત થઈ રહ્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
www.indiansociologist.in