સ્વ.દીપ દિનેશભાઈ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ સેવાના કાર્યો કરી ને ઉજવાઈ.
માંડવી માં શનિવારે સ્વ.દીપ દિનેશભાઈ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરી ને ઉજવાઈ.
માંડવી ની 17 સંસ્થાઓએ આપેલો સહયોગ. ભુજ માં પણ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રે પણ જીવ દયા અને માનવ સેવાના કાર્યો કર્યા.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી ની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર -3 ના પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહ અને પૂર્વ નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ ના સેવાભાવી અને આશાસ્પદ સુપુત્ર સ્વ.દીપ દિનેશભાઈ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ માંડવી ની 17 જેટલી સેવાભાવી સંસ્થાઓ અને ભુજ ની એક સહિત કુલ 18 જેટલી સંસ્થાઓ ના માધ્યમ થી, જીવ દયા અને માનવસેવાના કાર્યો થી ઉજવાઈ હતી.
ભુજ ની જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અને માંડવી ની 17 સંસ્થાઓ, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ, માણીભદ્ર વીર દાદા ગ્રુપ, એક પગલું, નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, માંડવી જાયન્ટ્સ ગ્રુપ,જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર- 3, મૂકબધિર વિદ્યાલય,જૈન આશ્રમ, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ, માંડવી સેવા મંડળ, જલારામ સેવા મંડળ, માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, જલારામ નિઃશુલ્ક ટિફિન સમિતિ, મહાદેવ ઝાલી રાખજે અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ સહિત કચ્છની કુલ 18 સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવા ના કાર્યો થી સ્વ.દીપ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઇ હોવાનું મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ ( ડગાળા- માંડવી) હસ્તે,દિનેશભાઈ શાહે જણાવ્યું હતું
www.indiansociologist.in