THE INDIAN SOCIOLOGIST

માંડવીમાં અત્યંત રાહતભાવે કોમ્પ્યુટર કલાસનું ઉદઘાટન

 માંડવીમાં અત્યંત રાહતભાવે કોમ્પ્યુટર કલાસનું ઉદઘાટન

 

મુળ માંડવીના અમેરિકા નિવાસી વતનપ્રેમી ડો. ધીરજભાઈ શાહના સૌજન્યી અનુમોદના ટ્રસ્ટ ધ્વારા માંડવીમાં અત્યંત રાહતભાવે કોમ્પ્યુટર કલાસનું ઉદઘાટન થયું

મુળ માડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી સેવાભાઈ દિલેર દાતા ડો. ધીરજભાઈ હરિલાલ શાહના સૌજન્યથી અનુમોદના ટ્રસ્ટ ધ્વારા માંડવી સેવામંડળમાં અત્યંત રાહતભાવે કોમ્પ્યુટર કલાસનું તાજેતરમાં ઉદઘાટન થયું હતું.

માંડવીના ભીડ બજારમાં મંછારામ બાપુના વાડામાં આવેલા સેવા મંડળમાં સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખપદે અને દાતા પરિવારના ભુજ નિવાસી નિતીનભાઈ શાહ અને લક્ષ્મીકાંતભાઈ પ્રાણલાલના અતિથિવિશેષ પદે યોજાયેલા કોમ્પ્યુટર કલાસના ઉદઘાટન સમારોહમાં માંડવીના જૈન સમાજના પાંચેયગચ્છના અગ્રણીઓ તેમજ કોમ્પ્યુટરના નિષ્ણાંત વિનયભાઈ ટોપરાણી, મયુરભાઈ, જીજ્ઞાબેન વિગેરે ઉપસ્થિત રહયા હતા.

પ્રમુખ સ્થાનેથી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને, માંડવીમાં ડો. ધીરજભાઈ શાહે અનુમોદના ટ્રસ્ટ ધ્વારા, અત્યંત રાહતભાવે કોમ્પ્યુટર કલાસ શરૂ કરવા બદલ ખુશી વ્યકત કરી હતી. સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ શાહે કોમ્પ્યુટર કલાસ વિશે વિગતે માહિતી આપી હતી. જયારે સેવા મંડળના ટ્રસ્ટીદિનેશભાઈ શાહે માંડવીના સેવા મંડળમાં ઘ્વારા થતી જીવદયા, માનવસેવા, મેડીકલ અને શિક્ષણની પ્રવૃતિઓની વિગતે માહિતી આપી હતી.

દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ પ્રાણલાલ શાહે જણાવ્યું હતું કે ડો. ધીરજભાઈ શાહ, અમેરિકામાં બેઠા બેઠા માંડવીની ચિંતા કરે છે અને સેવા મંડળને વર્ષોથી આર્થિક યોગદાન આપતા રહયા છે. કોમ્પ્યુટરના શિક્ષિકા આરતીબા જાડેજાએ કોમ્પ્યુટર શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કરેલ હતું જયારે ટ્રસ્ટી જયેશભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું, સેવા મંડળના સ્ટાફે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

www.indiansociologist.in

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST