THE INDIAN SOCIOLOGIST

JAIN SAMAJ : સતત છઠ્ઠા વર્ષે જૈન સમાજના વિદ્યાર્થીઓને નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ કરાયું.

JAIN SAMAJ : સતત છઠ્ઠા વર્ષે જૈન સમાજના વિદ્યાર્થીઓને નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ કરાયું.


માંડવીના "ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ" દ્વારા નિઃશુલ્ક નોટબુક વિતરણના કાર્યક્રમમાં નોટબુકો નું વિતરણ કરતા માંડવીના જૈન અગ્રણીઓ નરેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, ચંદ્રેશભાઇ શાહ, દિનેશભાઈ શાહ, અશોકભાઈ શાહ, પુનિતભાઈ શાહ, નિખીલેશ ભંડારી, સંજયભાઈ ડગાળા વાળા, લહેરી ભાઈ શાહ, મૃદુલાબેન શાહ વગેરે નજરે પડે છે.


માંડવીના ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહકારથી સતત છઠ્ઠા વર્ષે માંડવી ના સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને નોટબુકો નું નિઃશુલ્ક વિતરણ કરાયું.

જૈન સમાજના ત્રણ સેવાભાવીઓનું અભિવાદન પણ કરાયું.

સેવા-સ્નેહ અને સમર્પણના સિદ્ધાંતને વરેલી તથા જીવદયા ભક્તિ-માનવસેવા ભક્તિ- સંઘ ભક્તિ- સાધર્મિક ભક્તિ અને અનુકંપા ભક્તિના કાર્યો કરતી માંડવીની સંસ્થા" ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ" તરફથી દાતાના સહકારથી સતત છઠ્ઠા વર્ષે, માંડવીના સમસ્ત જૈન સમાજના ધોરણ ત્રણ થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુકો નું તાજેતરમાં નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.

માંડવી ત્રણ ગચ્છ જૈન સંઘ અને અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહના પ્રમુખ પદે, માંડવીની આયંબિલ શાળામાં યોજાયેલા નોટબુક વિતરણના એક ખાસ કાર્યક્રમમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, માંડવી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ નિખીલેશભાઈ ભંડારી, જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહ, માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ અને માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને મંચસ્થ રહ્યા હતા.

પ્રારંભમાં નવકાર મહામંત્રના જાપ બાદ માંડવી ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને જણાવ્યું હતું કે, દાતા પરિવાર માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવીના સ્મરણાર્થે (હસ્તે:- શ્રીમતી રેખાબેન નટવરલાલ સંઘવી, મુળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી) ના આર્થિક સહયોગ થી માંડવીના સમસ્ત જૈન સમાજના ધોરણ ત્રણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ.

મંચસ્થ મહાનુભાવો અને સંસ્થાના કાર્યકરોના હસ્તે માંડવીના સમસ્ત જૈન સમાજના ધોરણ ત્રણ થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા કુલ 109 વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીને સારી ક્વોલિટી ની 200 પેજની આઠ- આઠ નોટબુકો નું વિતરણ કરવામાં આવેલ હોવાનું માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

આ પ્રસંગે માંડવીમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને પાંચ ગચ્છ માટેના મોટી તપસ્યાઓ કરાવવા બદલ, માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા પરિવાર (ડગાળાવાળા) વતી, સંજયભાઈ ડગાળા વાળા, મહાવીર સ્વામી જિનાલય, તપગચ્છનું આરાધના ભવન અને મહાવીર સ્વામી જિનાલય પાસેના ઉપાશ્રય નાં નિર્માણ માં જહેમત ઉઠાવવા બદલ તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહનું તેમજ બાબા વાડી માં સુમતિનાથ જિનાલયના નિર્માણમાં યોગદાન આપવા બદલ મૃદુલાબેન શાહ નું સંસ્થાએ અભિવાદન કરેલ હતું.

મંચસ્થ મહાનુભાવોએ પોતાના પ્રસંગિક પ્રવચનમાં માંડવી ના ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચની રચનાત્મક પ્રવૃત્તિઓની સરાહના કરી પોતાના સાથ- સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.

સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ તથા કાર્યકરો અજીતભાઈ પટવા, લહેરી ભાઈ શાહ અને એડવોકેટ ઉદયભાઇ શાહ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે કરી હતી.






Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST