JIVDAYA : અપૂર્વ યશા શ્રીજી મહારાજ સાહેબનો જન્મદિવસ તેમના સંસારી પિતા પારસભાઈ શાહ અને સંસારી માતા ચંદ્રિકાબેન શાહે જીવદયા ના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ભુજપુર પાંજરાપોળ ના મૂંગા પશુઓને લીલા અને એકદમ તાજા નવ જાતના 2500 કિલોગ્રામ થી વધારે શાકભાજી ખવડાવીને જીવદયા નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
અપુર્વ યશા શ્રીજી મહારાજ સાહેબ ( ભવ્યા મહારાજ) નો જન્મદિવસ તેમના સંસારી માતા ચંદ્રિકાબેન શાહ અને સંસારી પિતા અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પારસ ભાઈ શાહે જીવદયા ના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ભુજપુર (તા. મુન્દ્રા) ની પાંજરાપોળ ના મૂંગા પશુઓને લીલા અને એકદમ તાજા નવજાતના 2500 કિલોગ્રામ થી વધારે શાકભાજી ( કોબી,ટમેટા, શક્કરટેટી, કલિંગર,ભીંડા, રીંગણા, દૂધી, કાકડી અને ચીકુ) ખવડાવીને જીવદયા નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડીને પારસ ભાઈ શાહ અને ચંદ્રિકાબેન શાહે, પોતાની દીકરી મહારાજ (અપૂર્વ યથાશ્રીજી મહારાજ સાહેબ) નો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હોવાનું માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
ભુજપુર (તા. મુન્દ્રા) પાંજરાપોળની રૂબરૂ મુલાકાત લઈને આ સેવાયજ્ઞ માં જીવદયા પ્રેમી વિઠ્ઠલભાઈ સોની તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના લીલાચારા ના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા અને ચેમ્બર્સના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક જોડાયા હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી એ જણાવ્યું હતું.