માંડવીના સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયના મહિલા કર્મચારીઓનું સપ્તધારા જૈન મહિલા મંડળે સન્માન કરીને તેમની સેવાને બીરદાવી
લિંબડી અજરામર ગુરૂગાદીનો ૨૮૦મો સ્થાપના દિન ઉજવાયો
લિંબડી અજરામર ગુરૂગાદીનો ૨૮૦મો સ્થાપના દિન માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા માનવસેવાના કાર્ય કરીને તાજેતરમાં ઉજવાયો હતો.
અજરામર સંપ્રદાયની શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન એટલે લિંબડી મધ્યે આવેલ અજરામરદાદાની ગાદી, તેનો ૨૮૦મો સ્થાપના દિવસ, દાતા કલ્પનાબેન રાજેશભાઈ તથા મૃદુલાબેન મગનલાલ સંઘવી (મહાવીર ફર્નિચરવાળા) તરફથી, માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના ઉપક્રમે, માંડવીના સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયના મહિલા કર્મચારીઓને સાડીની ભેટ આપી, તેમની સેવાની બિરદાવી, તેમનું અભિવાદન કરાયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
માંડવીના સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં, પ્રારંભમાં માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી. મંડળના ઉપપ્રમુખ રીનાબેન સંઘવીએ પ્રસંગ પરિચય આપેલ હતો જ્યારે મંડળના બીજા ઉપપ્રમુખ રોશનીબેન શાહે માંડવીના સાધર્મિક ભક્તિ જૈન ભોજનાલયની સેવાની સરાહાના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના ખજાનચી ડો. પારૂલબેન ગોગરીએ કરેલ હતું જ્યારે મંડળના મંત્રી અસ્મિતાબેન મહેતાએ આભાર દર્શન કરેલ હતું.
સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા મંડળના બહેનો સર્વશ્રી સીમાબેન લાલન, ઉષાબેન શાહ, વર્ષાબેન શાહ, નીતાબેન સંઘવી, શોભાબેન સંઘવી, માહી સંઘવી, સારિકાબેન દોશી, ઝરણા મહેતા અને ગાર્ગી ગોગરીએ જહેમત ઉઠાવી હતી. કિશોરભાઈ શાહ, ભદ્રેશભાઈ સંઘવી અને રમણીકભાઈ દરજી વગેરે કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
http://www.indiansociologist.in