THE INDIAN SOCIOLOGIST

MEDICAL CAMP : હોમિયોપેથીક નિદાન અને સારવારના નિ:શુલ્ક કેમ્પનો ૧૬૩ લોકોએ લાભ લીધો

માંડવીમાં યોજાયેલા હોમિયોપેથીક નિદાન અને સારવારના નિ:શુલ્ક કેમ્પનો ૧૬૩ લોકોએ લાભ લીધો



માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠનું સંયુક્ત આયોજન

માંડવીમાં સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે માંડવીના મંછારામ બાપુના વાડામાં, સેવામંડળનાં દવાખાનામાં, તાજેતરમાં હોમિયોપેથીક નિદાન અને સારવારનો નિ:શુલ્ક સારવારનો ૧૩મો મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આ નિ:શુલ્ક કેમ્પનો માંડવી શહેર ઉપરાંત શિરવા, પીપરી, લાયજા, નાની રાયણ, બિદડા અને ગઢસીસા ગામના કુલ ૧૬૩ લોકોએ લાભ લીધો હતો. ૧૬૩ લોકો પૈકી ૧૨ પુરૂષ, ૩૭ મહિલાઓ અને ૬ બાળકો પ્રથમ જ વખત હોમિયોપેથીક દવા લેવા કેમ્પમાં આવ્યા હતા.
ડો. મનોજભાઈ માકાણીના માર્ગદર્શન હેઠળ ડો. ઉષાબેન ભાલીયા, ડો. નવીનભાઈ કણઝારીયા, ડો. શીતલબેન મારવાડા, રમીલાબેન માકાણી, હર્ષિલ વસાણી, મીતભાઈ પેથાણી અને વેદાંશુ જાલાણીએ દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. તમામ ૧૬૩ દર્દીઓને એક માસની દવા નિ:શુલ્ક અપાઈ હતી.

માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતીપ્રસાદભાઈ મોથાભાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જ્યારે સેવામંડળ સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી અને રેખાબેન સોની સહયોગી રહ્યા હતા.

http://www.indiansociologist.in
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST