THE INDIAN SOCIOLOGIST

PM MODI : કુદરતી આફતોનો સામનો કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી ખૂબ મહત્વની

 PM MODI : કુદરતી આફતોનો સામનો કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી ખૂબ મહત્વની


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI)ને સંબોધન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI)ને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું હતું કે કુદરતી આફતો અને આબોહવા પરિવર્તનને કારણે દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓ ગંભીર જોખમમાં છે. આ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને વધુ સારું સંકલન જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "આ પરિષદનો વિષય છે: 'આપણું સ્થિતિસ્થાપક ભવિષ્ય: દરિયાકાંઠાના વિસ્તારો માટે'. તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશમાં ચક્રવાત 'રેમલ', કેરેબિયન ક્ષેત્રમાં 'હેરિકેન બેરીલ', દક્ષિણપૂર્વ એશિયામાં 'યાગી', અમેરિકામાં 'હરિકેન હેલેન', ફિલિપાઇન્સમાં 'ટાયફૂન ઉસાગી' અને આફ્રિકાના કેટલાક ભાગોમાં 'સાયક્લોન ચિડો' જેવા વિનાશક તોફાનો આવ્યા. આ આફતોએ જાનમાલનું ભારે નુકસાન કર્યું હતું." પીએમ મોદીએ 1999ના સુપર સાયક્લોન અને 2004ના સુનામીના ભયાનક અનુભવોને યાદ કર્યા અને કહ્યું કે આ આફતો પછી ભારતે સંવેદનશીલ વિસ્તારોમાં ચક્રવાત આશ્રયસ્થાનો બનાવ્યા અને 29 દેશો માટે સુનામી ચેતવણી પ્રણાલી વિકસાવવામાં પણ મદદ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) હવે 25 નાના ટાપુ વિકાસશીલ દેશો સાથે કામ કરી રહ્યું છે, જ્યાં મજબૂત ઘર, હોસ્પિટલ, શાળાઓ, ઊર્જા અને પાણીની સુરક્ષા અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ વિકસાવવામાં આવી રહી છે. ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે કુશળ કાર્યબળની જરૂર છે. આ માટે ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત અભ્યાસક્રમો, મોડ્યુલ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનો સમાવેશ કરવો જોઈએ. પીએમ મોદીએ એક વૈશ્વિક ડિજિટલ ભંડાર એટલે કે એક ઓનલાઈન જ્ઞાનકોષ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો, જ્યાં વિશ્વભરની આપત્તિ પુનર્નિર્માણ સંબંધિત સફળતાની વાર્તાઓ અને શ્રેષ્ઠ અનુભવો શેર કરી શકાય.

તેમણે એ વાત ભાર મૂક્યો હતો કે આપત્તિ વ્યવસ્થાપન માટે નવીન નાણાકીય મોડેલની જરૂર છે અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે વિકાસશીલ દેશોને આ માટે નાણાકીય સહાયની પહોંચ મળે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, "પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને સંકલનને મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી સમયસર નિર્ણયો અને સચોટ માહિતી છેલ્લા માઇલ સુધી પહોંચી શકશે."

http://www.indiansociologist.in
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST