THE INDIAN SOCIOLOGIST

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને અમેરિકા નીવાસી માંડવીના વતન પ્રેમી દાતા તરફથી બે લાખ દસ હજાર રૂપિયા નું માતબાર દાન મળ્યું.

 માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને અમેરિકા નીવાસી

માંડવીના વતન પ્રેમી દાતા તરફથી બે લાખ દસ હજાર રૂપિયા નું માતબાર દાન મળ્યું.



 અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 32 વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ તા. 28/11 ને ગુરુવારના રોજ રૂપિયા બે લાખ દસ હજાર રૂપિયા નું માતબાર દાન અમેરિકા નિવાસી મુળ માંડવીના વતન પ્રેમી દાતા તરફથી આપવામાં આવેલ છે.
           માંડવીના રાજેન્દ્રભાઈ પોપટલાલ પટવાની પ્રેરણાથી અશ્વિનભાઈ જે. સંઘવીએ પોતાની માતા સ્વ. જ્યોત્સનાબેન જયંતીલાલ સંઘવી અને પિતા સ્વ.જયંતીલાલ પાનાચંદ સંઘવીની સ્મૃતિમાં તેમની જન્મ જયંતી અને પુણ્યતિથિ માટે ૪ તિથિ માટે રૂપિયા ૧,૪૦,૦૦૦/-, સંસ્થા તરફથી ડિસેમ્બર માસમાં રમાનાર અખિલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગોની અને પ્રજ્ઞાચક્ષુઓની વિજેતા ટીમ અને રનર્સ ટીમ માટે રૂપિયા 36000/- તથા રમતોત્સવમાં માંડવી આવનાર દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ આપવા માટે રૂપિયા 34,000/- મળી કુલ રૂપિયા 2,10,000/- (બે લાખ દસ હજાર)ના દાનનો ચેક અનિલભાઈ ચમનલાલ પટવા (મુંબઈ) અને નલીનભાઈ લીલાધરભાઇ પટવા (માંડવી)એ સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઇ મીરને અર્પણ કર્યો હતો.


THE INDIAN SOCIOLOGIST
Previous Post Next Post