માંડવી માં છેલ્લા 32 વર્ષથી દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના સહયોગથી, કચ્છ ના ત્રણ પ્રજ્ઞાચક્ષુઓને હાર્મોનિયમ ની ભેટ આપી, તાજેતરમાં સ્વનિર્ભર કર્યા હતા.
MANDVI-KUTCH : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીના જણાવાયા મુજબ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશીની પ્રેરણા અને પ્રયત્નોથી, ચંદ્રકાંતભાઈ પાલણ મોતા (ગોધરા-મુંબઈ), શાંતિલાલ શિવજી પટેલ રત્નાપર-મંઉ (હાલે ડોમ્બીવલી-મુંબઈ) અને માતૃશ્રી દમયંતીબેન શંભુલાલ શંકરજી નાગુ (હસ્તે:- રાજેશ શંભુલાલ નાગુ (બાગ માંડવી)ના આર્થિક સહયોગથી કચ્છ વિકાસ ટ્રસ્ટ (રાયંધણપર) માં રહેતા પ્રજ્ઞાચક્ષુ દંપત્તિ ચેતનાબેન મનજીભાઈ કોલી અને મનજીભાઈ કોલી તથા કેતન દેવજી મહેશ્વરી (દેશલપર-મુન્દ્રા)ને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં અરવિંદભાઈ જોશી (ગોધરા), દિનેશભાઈ શાહ (માંડવી), હિરજીભાઈ કારાણી, દાતા ચંદ્રકાંતભાઈ મોતા (ગોધરા-મુંબઈ)ના હસ્તે અર્પણ કરેલ હતા.
MANDVI-KUTCH : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી અને અરવિંદભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઇ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને દાતા પરિવારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : CRIME : ગણતરીની કલાકોમાં ગોધરા ગામમાં થયેલા ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી માંડવી પોલીસ
INDIAN SOCIOLOGIST