THE INDIAN SOCIOLOGIST

26th JANUARY 2026 : માંડવી ની જૈન નુતન પ્રાથમિક શાળામાં 76 મો પ્રજાસત્તાક દિન આન-બાન અને શાન થી ઉજવાયો.

 26th JANUARY 2026 : માંડવી ની જૈન નુતન પ્રાથમિક શાળામાં 76 મો પ્રજાસત્તાક દિન આન-બાન અને શાન થી ઉજવાયો.


જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.-3 માં 76 મો પ્રજાસત્તાક દિન આન - બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો હતો.

શાળાના પટાંગણ માં માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં "દીકરીના પ્રણામ,દેશને નામ" કાર્યક્રમ અંતર્ગત શાળાની પૂર્વ વિદ્યાર્થીની અને બાળ રોગ નિષ્ણાંત (એમ .ડી .પિડિયાટ્રીક) ડૉ.વેણુબેન મુકેશભાઈ વાસાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું.

પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવેલ હતું.

 26th JANUARY 2026 : આ પ્રસંગે વાડીલાલભાઈ દોશી,ડૉ.વેણુબેન વાસાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણ વિદ દિનેશભાઈ શાહ વગેરેએ પ્રસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરી, શાળાની પ્રગતિ બદલ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં જ્ઞાનસેતુ પરીક્ષામાં રાજ્ય કક્ષાએ મેરીટમાં આવનાર શાળાના ચાર વિદ્યાર્થીઓ, સર્વશ્રી રક્ષિત શાહ, સાફિલ કોરેજા,અંશ જેપાર અને આયુષ જેપાર નું શાળા પરિવાર તરફથી દાતા પુષ્પાબેન વેલજીભાઈ, જૈન અગ્રણી રાહુલભાઈ સંઘવી ,શાળાના નિવૃત્ત શિક્ષકો રમણીકભાઈ સોની, ચંદનબેન જૈન, પિનાકીનીબેન સંઘવી અને કુંદનબેન ત્રિવેદીના હસ્તે સન્માનિત કરાયા હતા.

શાળાના વિદ્યાર્થીઓ રક્ષિત શાહ, મેરાજ ઉઠાર,રૂક્ષ સાધુ અને શિવાય ગુસાઈ એ પણ પ્રાસંગિક પ્રવચન કરેલ હતા.શાળાની એસ.એમ.સી.ના પ્રમુખ કુંજલબેન શાહે તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.

 26th JANUARY 2026 : શાળાના બાળકોએ અભિનય સાથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો.જેના કોરીયોગ્રાફર તરીકે શાળાની શિક્ષિકા વૈશાલીબેન કોટક તથા વિદ્યાર્થીની શમીમ ભંભરા એ સેવા આપી હતી.કોરીયોગ્રાફર શમીમ ભંભરા, દિવ્યાબા અને જાગૃતિબા નું પણ સન્માન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષિકા દીપાબેન ચૌહાણ એ કરેલ હતું જ્યારે શિક્ષક મનુભા જાડેજા એ આભાર દર્શન કરેલું હતું.શાળાના શિક્ષિકા ભાવીનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા, પ્રફુલબેન , દિગ્વિજયાબેન અને સાનિયા કોરેજા કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.

સ્વ. નેમ દીપકભાઈ સંઘવીની સ્મૃતિમાં મહાવીર ફર્નિચરવાલા તરફથી બાળકોને પ્રસાદી અપાઈ હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે મૃદુલાબેન મગનલાલ સંઘવી (મહાવીર ફર્નિચરવાલા) છેલ્લા ૫૦ વર્ષથી 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારે બાળકોને પ્રસાદી આપે છે.

 26th JANUARY 2026 : આ પ્રસંગે ડૉ. વેણુબેન વાસાણી, પુષ્પાબેન વેલજીભાઈ, દિનેશભાઈ શાહ, અંશ જેપાર, રમણીકભાઈ સોની,હીનાબેન ઈશ્વરલાલ ગણાત્રા, પિનાકીનીબેન સંઘવી, નિર્મળાબેન બાટી,ચંદનબેન દિલીપભાઈ જૈન, વાડીલાલભાઈ દોશી, કુંદનબેન ત્રિવેદી,રક્ષિત શાહ અને જીનાંશી શાહ તરફથી શાળાના બાળકોને રોકડ ઇનામ આપેલ હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST