THE INDIAN SOCIOLOGIST

FUNFAIR : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા( ફનફેર) આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું

FUNFAIR : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું


FUNFAIR : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા સ્ત્રીઓની અંદર છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા તથા રસોડાનું સ્વાદ બજારમાં લાવવાના ઉમદા હેતુથી તારીખ: 12- 1- 2025 રવિવારે ફનફેર (આનંદ મેળા) નું આયોજન કરવામાં આવ્યું.

FUNFAIR : ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા ફનફેર (આનંદ મેળા) નું માંડવી ભાનુશાલી મહાજનવાડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું.સૌપ્રથમ શ્રી ઓધવરામ બાપાની આરતીથી શુભારંભ કરી સમાજના અગ્રણી પરિવારના શ્રી વર્ષાબેન દિનેશભાઈ લીલાધર દામા પરિવાર અને મહિલા મંડળની કારોબારીના સભ્યો દ્વારા ફનફેરને માંડવીની સર્વ જ્ઞાતિઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યો.આ ફનફેર આનંદ મેળામાં ફક્ત ભાનુશાલી જ્ઞાતિના 16 સ્ટોલ પર વિવિધ વાનગીઓ, ગેમઝોન અને વ્યવસાયિક સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં માંડવી ની સર્વે જ્ઞાતિની સ્વાદ પ્રિય જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.માંડવીની સ્વાદપ્રિય જનતા એ અને જ્ઞાતિજનો એ આનંદમેળામાં બહોળી સંખ્યામાં હાજરી આપી આનંદ લીધો હતો.

FUNFAIR : માંડવી ભાનુશાલી મહિલા મંડળ પ્રમુખ ભાવનાબેન ઇશ્વરભાઇ નંદા તથા સમગ્ર મહિલા મંડળ કારોબારી ને માંડવી ભાનુશાલી દ્વારા ના ગાદીપતિ શ્રી કરસનદાસજી મહારાજ ના શુભેચ્છા સ્વરૂપે આશીર્વાદ પણ મળ્યા હતા તથા ભાનુશાલી મહાજન માંડવી પ્રમુખ શ્રી જયેશભાઈ હુરબડા તથા યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે તથા દેશ મહાજન મહિલા પાંખ ના પ્રમુખ શ્રી જશોદાબેન ગાંધીધામ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

THE INDIAN SOCIOLOGIST
Previous Post Next Post