THE INDIAN SOCIOLOGIST

HOMEOPATHIC : માંડવીમા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ

HOMEOPATHIC :  માંડવીમા યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનો માંડવી અને આજુબાજુના 115 લોકોએ લાભ લીધો.


માંડવીના સેવા મંડળ અને ભુજ ના રામકૃષ્ણ મઠનું સંયુક્ત આયોજન. એક મહિનાની દવા પણ નિઃશુલ્ક અપાઈ.

HOMEOPATHIC :  માંડવીના સેવા મંડળ અને ભુજ ના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, તાજેતરમાં માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં સેવામંડળના દવાખાનામાં હોમિયોપેથીક નિદાન અને સારવારનો નવમો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.

HOMEOPATHIC :  આ નિ:શુલ્ક કેમ્પના કારણે બીમારી થી નિરાશ દર્દીઓ માટે આશાનું એક કિરણ ઉગ્યું છે. સર્વરોગ નિઃશુલ્ક આ કેમ્પનો માંડવી અને માંડવી ની આજુબાજુના ગામોના કુલ 115 લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં એક માસની દવા નિઃશુલ્ક અપાઈ હતી.

HOMEOPATHIC :  આ કેમ્પમાં ડો. મનોજભાઈ માકાણી, ડો. ઉષાબેન ભાલીયા, ડો. નવીનભાઈ કંજારિયા, ડો. બિનલબેન સોનારા, ડો. દિપેશભાઈ ઠક્કર અને રમીલાબેન માકાણીએ સેવા આપી હતી.

કેમ્પમાં સેવા મંડળના દિપકભાઈ સોની રમેશભાઈ ઓધવાણી અને ડોલીબેન રાઠોડ પણ સહયોગી રહ્યા હતા.

HOMEOPATHIC :  સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટીશ્રીઓ સર્વ શ્રી ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST