MANDVI CRIME : માંડવીમાં આઠ માસ અગાઉ પરણેલી યુવતીનો આપઘાત
MANDVI CRIME , તા. 29 : શહેરના સત્સંગ આશ્રમ પાસે રહેતી ભૂમિ વિજયરાજ ગોસ્વામી (ઉ.વ. 22) નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, હતભાગી યુવતીના આઠ માસ અગાઉ જ લગ્ન થયા હતા. થોડા દિવસ અગાઉ જ પરિણીતા, તેનો પતિ તથા નણંદ કુલુ-મનાલી ફરવા ગયા હતા અને બુધવારે જ માંડવી પરત ફર્યા બાદ તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.
આ પણ વાંચો : SARVAJANIK SAMAJVADI : કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી ની અંજાર મધ્યે ખાતમુર્હુત - પાયાવિધિ કરવામાં આવી
બનાવની જાણ થતાં તેને પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં મૃતદેહ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ગુરુવારે પીએમ કરાશે. ભૂમિના માવતર માંડવી તાલુકાના મોટા લાયજામાં રહે છે, જેમને જાણ કરાતાં પરિવારજનો તથા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. આગામી 17મી ફેબ્રુઆરીએ હતભાગી પરિણીતાના ભાઈના લગ્ન હોવાથી કંકોત્રીઓ આપવાની તૈયારીઓ ચાલતી હતી, તે વચ્ચે આ કરુણ બનાવ બન્યો હતો. પરિવારજનોના આક્રંદથી હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. માંડવી મામલતદાર શ્રી ગોકલાણી, માંડવીના સેવાભાવી નરેનભાઈ સોની સહિતે હોસ્પિટલ પહોંચીને કુટંબીજનોને મદદરૂપ બન્યા હતા. પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી.
આ પણ વાંચો : SARVAJANIK SAMAJVADI : કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી ની અંજાર મધ્યે ખાતમુર્હુત - પાયાવિધિ કરવામાં આવી
INDIAN SOCIOLOGIST