THE INDIAN SOCIOLOGIST

AHINSAYATRA : તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૦મા આચાર્યશ્રી મહાશ્રમણજીની 4000 કિલોમીટરની અહિંસા યાત્રા

AHINSAYATRA : તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૦મા આચાર્યશ્રી મહાશ્રમણજીની 4000 કિલોમીટરની અહિંસા યાત્રા


તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૦મા આચાર્યશ્રી મહાશ્રમણજીને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા એવોર્ડ મળ્યો હતો.

૨૦૦૩ની સાલમાં આચાર્ય મહાશ્રમણજીએ અહિંસાયાત્રા કાઢી હતી. અહિંસા યાત્રાને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.

AHINSAYATRA : ૭૫૦ થી વધુ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સહિત ભારતના દરેક રાજ્યમાં અંદાજે ચાર લાખથી વધારે અનુયાયીઓ ધરાવતા તેરાપંથી જૈન ધર્મ સંઘના 10 માં આચાર્ય મહાશ્રમણજીને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા એવોર્ડ મળેલ હતો.

2003 ની સાલમાં આચાર્ય મહાશ્રમણજીએ અહિંસા યાત્રા કાઢી હતી આ અહિંસા યાત્રામાં માંડવીના 40 ભાઈ બહેનો સહિત ભુજ, અંજાર અને રાપર સહિતના કુલ 100 ભાવિકો જોડાયા હતા દક્ષિણ ગુજરાતમાં પણ અહિંસા યાત્રાને સારો પ્રતિસાદ સાંપડેલ હતો.

AHINSAYATRA : 2003માં નીકળેલી આ અહિંસા યાત્રા રેલીમાં જોડાયેલા માંડવીના જૈન અગ્રણી અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા માંડવી તેરાપંથ જૈન સંઘના પૂર્વ પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશી એ આ અહિંસા યાત્રાની વિગતો આપતા જણાવ્યું હતું કે ગોધરા હિંસા કાંડ પછી સમગ્ર ગુજરાત ભડકે બળતું હતું. ભડકેલા કોમીવાદી હિંસા ને ઠારવાના ઉમદા હેતુસર અહિંસક ચેતનાનું જાગરણ અને નૈતિક મૂલ્યોના વિકાસને ઉજાગર કરવા જૈનાચાર્ય મહાશ્રમણજી દ્વારા તારીખ ૫-૧૨-૨૦૦૧ થી રાજસ્થાનના લાણુ થી શરૂ થયેલી આ અહિંસા યાત્રા અપરાધ અને હિંસામુક્ત સમાજની રચના માટે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિવ દમણ વિસ્તારમાં ફરીને રાજસ્થાનમાં પૂર્ણ થઈ હતી.

AHINSAYATRA : 4000 કિલોમીટરની આ અહિંસા યાત્રામાં આવતા જોધપુર, પાટણ, અમદાવાદ, મુંબઈ, સુરત, જલગાંવ, ઈન્દોર, ઉજ્જૈન, રતલામ, સિસ્પાતી તેમજ નાની વસ્તીવાળા ગામોમાં આ યાત્રાનો રખાયું હતું ગ્રામીણ જનતાને અહિંસા નો સંદેશ પહોંચવાનો આ અહિંસા યાત્રાનો મુખ્ય હેતુ હતો.

આવા નાજુક સમયે ગુજરાતમાં પ્રવેશેલી અહિંસા યાત્રાને રેલીએ ગામેગામ ભગવાન મહાવીર નો અહિંસા શાંતિ ભાઈચારો મૈત્રી અને કોમી એકતાનો દિવ્ય સંદેશ આપી આચાર્ય મહાશ્રમણ જઈએ ભડકી ઊઠેલી પાસવી વૃતિને શાંત પાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

મહાત્મા ગાંધીની દાંડીયાત્રા વિનોબા ભાવે ની ભૂદાન યાત્રા આચાર્ય તુલસીની અણવત યાત્રા અને અહિંસા યાત્રા જેમાં અહિંસક ચેતનાનું જાગરણ નૈતિક મૂલ્યોનો વિકાસ આ બે ઉદ્દેશોમાં અહિંસા યાત્રા નું લક્ષ છે.

AHINSAYATRA : માંડવી થી અહિંસા યાત્રા રેલીમાં માંડવી તેરાપંથી જૈન સંઘના પૂર્વ પ્રમુખ વાડીલાલભાઈ દોશી ની આગેવાની હેઠળ 40 જણા સુરત ગયા હતા જેમાં રસિકભાઈ દોશી, જીતેન્દ્રભાઈ દોશી, જમકભાઈ સંઘવી, સુરેશભાઈ દોશી, ગીરીશભાઈ દોશી, રતિલાલ સંઘવી, કૈલાશભાઈ દોશી , નિર્મલભાઇ દોશી, રાજેશભાઈ દોશી, અરવિંદભાઈ દોશી, વિનોદભાઈ દોશી સહિત મહિલા મંડળની 20 જેટલી બહેનો સાથે વિદ્યાર્થીઓ સહિત જોડાઈને અહિંસા યાત્રામાં ભાગ લીધો હતો. એમ વાડીલાલભાઈ દોશી એ એક મુલાકાતમાં માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહને જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST