BHACHAU : ભચાઉ તાલુકાના આધોઇ ગામે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ના આગામી ચાતુર્માસની "નમસ્કાર તીર્થ- વોંધ" મધ્યે ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં તા.4 /2 ને મંગળવાર ના જય બોલાઈ હતી.
BHACHAU : અધ્યાત્મનિષ્ઠ સુવિશાળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજ ના શુભ આશીર્વાદ થી, પરમ પૂજ્ય આચાર્યશ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્ય પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા- 5 (પાંચ )તથા સાધ્વીજી દિવ્યગિરા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા -3(ત્રણ) ના આગામી ચાતુર્માસ, ભચાઉ તાલુકાના શ્રી આધોઈ સાહુ નગરે, આરાધના ભવન મધ્યે,નમસ્કાર તીર્થ- વોંધ મધ્યે , ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ માં જય બોલાવાઈ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ ( મહેતા) એ જણાવ્યું હતું.
BHACHAU : આ પ્રસંગે સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.