GAYATRIYAGNA : ગાયત્રી યજ્ઞના માધ્યમથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
માંડવીની 'મહાદેવ ઝાલી રાખજે ' સંસ્થા આયોજિત યજ્ઞમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપનારા 105 વિદ્યાર્થીઓ જોડાયા.
માંડવીની ' મહાદેવ ઝાલી રાખજે ' સંસ્થા દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં સફળતા મળે અને તેમનામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે માટે તા. 16/ 2 ને રવિવારના રોજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ (વિન્ડફાર્મ રોડ) મધ્યે ગાયત્રી યજ્ઞનું સતત ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું.
GAYATRIYAGNA : માંડવીની ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઇ ગોકુલગાંધી, રાજ્ય ,રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી જીગ્નેશભાઈ જોશી ના અતિથિ વિશેષ પદે યોજાયેલા ગાયત્રી હવનમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા આપનારા માંડવીના કુલ 105 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી હતી.
હવનની વિધિ ગાયત્રી પ્રજ્ઞાપીઠના હર્ષવર્ધનભાઈ અંતાણી અને હરેશભાઈ ધોળકિયાએ કરાવી હતી.
GAYATRIYAGNA : ગાયત્રી યજ્ઞના આયોજક અને ' મહાદેવ ઝાલી રાખજે 'સંસ્થાના અગ્રણી ડૉ.ચિરાગભાઈ રાવલ (સલાયા પ્રાથમિક શાળા નંબર -1 ના વિજ્ઞાન શિક્ષક) તથા દેવાશિષ ગઢવી ના જણાવ્યા મુજબ આ હવન માત્ર પરીક્ષામાં પાસ થવા માટે જ નથી પરંતુ જીવનની દરેક પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ વિકસે, સકારાત્મક ઉર્જા મળે, નકારાત્મક વિચારો અને ડિપ્રેશન થી દૂર રહે તે માટે યોજવામાં આવેલ છે. ગત વર્ષે આ યજ્ઞમાં જોડાયેલા તમામ 127 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ જવલંત સફળતા મેળવી હતી. દર વર્ષે ગાયત્રી યજ્ઞ કરવાની ઘોષણા પણ કરી હતી.
આ પ્રસંગે રાજ્ય,રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે અતિથિવિશેષ પદેથી જણાવ્યું હતું કે ' શિક્ષણ એ તમામ સમસ્યાઓ માટેનું રામબાણ ઈલાજ છે'.તેમણે સતત ત્રીજા વર્ષે ગાયત્રી હવન યોજવા બદલ ડૉ. ચિરાગભાઈ રાવલ અને દેવાશિષ ગઢવી ને અભિનંદન પાઠવી યજ્ઞમાં જોડાયેલા તમામ 105 વિદ્યાર્થી ભાઈ બહેનોને બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.
GAYATRIYAGNA : અતિથિ વિશેષ વિશેષ પદેથી માંડવીની ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલ ગાંધી અને શિક્ષક અગ્રણી જીગ્નેશભાઈ જોશી એ પણ યજ્ઞના આયોજકોને અભિનંદન પાઠવી યજ્ઞમાં આહુતિ આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ત્રણેય અતિથિ વિશેષશ્રીઓ અને સહયોગી સંદીપભાઈ માલમ નું ડૉ .ચિરાગભાઈ રાવલ અને દેવાશિષ ગઢવી ના હસ્તે સંસ્થા તરફથી શાલ ઓઢાડી ને સન્માન કરાયું હતું.
GAYATRIYAGNA : સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના દેવાશિષ ગઢવીએ કરેલ હતું જ્યારે ડૉ.ચિરાગભાઈ રાવલે આભાર દર્શન કરેલ હતું.
આ પણ વાંચો : MEGA MEDICAL CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પનો પૂર્ણાહુતી સમારંભ
INDIAN SOCIOLOGIST