THE INDIAN SOCIOLOGIST

TERAPANTH : તેરાપંથ જૈન સંઘના યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ ના માંડવી માં આગમનની તડામાર તૈયારી.

TERAPANTH : તેરાપંથ જૈન સંઘના યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ ના માંડવી માં આગમનની તડામાર તૈયારી.


રવિવારે તેરાપંથ જૈન સંઘ માંડવી એ જૈનપુરી મધ્યે બોલાવેલી પાંચ ગચ્છ ની બેઠક માં તૈયારીને આખરી ઓપ અપાયો.

189 વર્ષ પછી માંડવી તેરા પંથ જૈન સંઘમાં પધારતા યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ.

TERAPANTH : તેરાપંથ જૈન સંઘના યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ સહિત અંદાજે 75 જેટલા સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો તા. 22/ 2 અને તા.23/ 2 શનિ- રવિવાર ના બે દિવસ માટે માંડવી પધારતા હોય તેમના આગમન ની માંડવીમાં તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે. આજે તા.16 /2 ને રવિવારના સાંજે 4:30 કલાકે જૈનપુરીમાં માંડવીના તેરાપંથ જૈન સંઘે માંડવીના પાંચે ગચ્છની બોલાવેલી બેઠકમાં તૈયારીને આખરી ઓપ અપાયો હતો.

TERAPANTH : માંડવી તેરા પંથ જૈન સંઘમાં, તેરાપંથ જૈન સંઘના આચાર્ય રાયચંદજી માંડવી પધાર્યા હતા. ત્યાર પછી 189 વર્ષ બાદ માંડવીમાં યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ માંડવી પધારતા હોઈ માત્ર માંડવી માં તેરા પંથ જૈન સંઘમાં જ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજમાં ખુશીની લહેર ફેલાઈ હોવાનું માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

TERAPANTH : માંડવી તેરાપંથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશી ના પ્રમુખ પદે માંડવીની જૈનપુરી માં મળેલી બેઠકમાં માંડવી તેરા પંથ જૈન સંઘના પૂર્વ પ્રમુખ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ દોશી,મંત્રી અમિષભાઈ સંઘવી અને ઉપપ્રમુખ નિર્મલભાઇ દોશી મંચસ્થ રહ્યા હતા.

TERAPANTH : પ્રારંભમાં નવકાર મહામંત્રની સામુહિક ધુન બાદ માંડવી તેરા પંથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશી એ પાંચે ગચ્છના બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને આવકાર આપી જણાવ્યું હતું કે, આગામી તા. 22/ 2 અને તા. 23 /2 શનિ - રવિવારના માંડવીમાં તેરાપંથ જૈન સંઘના યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ પધારવાના છે ત્યારે આપણે સૌએ માંડવીના જૈન સમાજની એકતા ના દર્શન કરાવવાના છે.

TERAPANTH : માંડવી તેરાપંથ જૈન સંઘના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ દોશી એ જણાવ્યું હતું કે, આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ ને 2010 ની સાલમાં આચાર્યની પદવી મળી હતી. ત્યારબાદ 2013 માં તેઓશ્રી ભુજ પધાર્યા હતા.તેમનું સંસારી નામ મોહન હતું. જ્યારે દીક્ષા બાદ તેઓ મુદિત મુનિ બન્યા હતા. પૂજ્ય શ્રી એ ભારત, નેપાળ અને ભૂતાન સહિત ત્રણ દેશો અને 22 રાજ્યોનો 55000 (પંચાવન હજાર) નો પગપાળા પ્રવાસ કર્યો છે. ગત વર્ષે તેમનો ચાતુર્માસ સુરત માં હતું.

યુગપ્રધાન આચાર્યશ્રી મહા શ્રમણજી મહારાજ સાહેબ 72 જિનાલય થી વિહાર કરીને તા. 22/ 2 ને શનિવારે માંડવી પધારશે શનિવારે દાદાવાડી થી તેમનું પાંચે ગચ્છના ભાઈઓ - બહેનો તેમજ ભાઈઓ અને બહેનોના બધા મંડળો સહિત બહોળી સંખ્યામાં ભવ્યાતિભવ્ય સામૈયું નીકળશે. સામૈયું માંડવીની દાદાવાડી થી પ્રસ્થાન થઈ, વિવિધ ધાર્મિક સુત્રોચ્ચાર સાથે માંડવી ની જૈનપૂરીમાં પહોંચશે ત્યારે આચાર્યશ્રી માંગલિક ફરમાવી મનનીય પ્રવચન આપશે.

માંડવી ના તેરાપંથ જૈન સંઘ તરફથી માંડવી ના પાંચે ગચ્છના સ્વામિવાત્સલ્ય નો કાર્યક્રમ માંડવી ની જૈનપુરીમાં તા.22/ 2 ને શનિવાર ના બપોરના 12:30 વાગે રાખવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં તેરા પંથ જૈન સંઘના ચાર લાખથી વધારે શ્રાવક- શ્રાવિકાઓ અને 750 જેટલા સાધુ, સાધ્વીજીઓ છે.

માંડવી ના 445 માં સ્થાપના દિવસના ઉપલક્ષ માં માંડવી સાયકલ ક્લબ આયોજિત અને રાષ્ટ્ર સંત, તેરા પંથ જૈન સંઘના આચાર્ય મહાશ્રમણજી ને માંડવી યાત્રાના અવસરે પૂજ્યશ્રી ની પાવન નિશ્રામાં માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પ્રેરિત સાયકલ દોડ રાખવામાં આવેલ છે.(MLA CYCLOTHON).

બે દિવસ દરમિયાન આચાર્યશ્રી જૈનપુરીમાં સ્થિરતા કરશે. તા.22/ 2 ને શનિવાર ના રોજ સાંજે 7:00 થી 8:00 દરમિયાન સમસ્ત જૈન સમાજ માટે સામૂહિક સામાયિક નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાત્રિ પ્રવચન પણ જૈન પુરીમાં રાખવામાં આવેલ છે.

છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને છ કોટી જૈન સંઘના રાહુલભાઈ સંઘવીએ સાથ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.

આ બેઠકમાં માંડવી જૈન સમાજના અગ્રણીઓ રસિકભાઈ દોશી,દિનેશભાઈ મણીલાલ શાહ, વિરલભાઈ વાડીલાલ શાહ, મયુરભાઈ શાહ, લિનેશભાઈ શાહ, વાડીલાલભાઈ દોશી, ભાવિનભાઈ સંઘવી પુનિતભાઈ ભાછા ,જુગલભાઈ સંઘવી, લાંતિક ભાઈ શાહ, પારસભાઈ સંઘવી, માંડવીના સમસ્ત જૈન સમાજના બહેનો ના બધા મંડળો સહિત માંડવી ના સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંપૂર્ણ સાથ સહકાર આપવાનું જણાવ્યું હતું.

સમગ્ર બેઠક નું સંચાલન તેરા પંથ જૈન સંઘ માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી એ કરેલ હતું જ્યારે મંત્રી અમિષભાઈ સંઘવીએ આભાર દર્શન કરેલું હતું.

જૈમિનભાઈ દોશી, આયુષભાઈ દોશી, યાત્રિકભાઈ દોશી, દીપભાઈ દોશી, વિપુલભાઈ ગાંધી અને મિતેશભાઇ ગાંધીએ વ્યવસ્થા સંભાળી હતી.

અંતમાં અલ્પાહારને ન્યાય આપી ખુશનુમા વાતાવરણ માં સૌ છૂટા પડ્યા હતા.

આ પણ વાંચો : MEGA MEDICAL CAMP :  ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પનો પૂર્ણાહુતી સમારંભ

INDIAN SOCIOLOGIST
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST