THE INDIAN SOCIOLOGIST

JAIN : અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનના ૧૮ વર્ષ સંપન્ન થતા માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા

JAIN : મૂળ ડગાળા ગામના અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનના ૧૮ વર્ષ સંપન્ન થતા તેમના સંસારી પરિવાર તરફથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા




JAIN : મૂળ ડગાળા (તાલુકો - ભુજ) ના હાલે બોરીવલી (મુંબઈ) નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલ મહેતાના કુળદીપક પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ (મુકેશ મહારાજ)ના સંયમ જીવનના 18 વર્ષ સંપન્ન થયા અને 19 માં વર્ષમાં તાજેતરમાં પ્રવેશ થયો તે પ્રસંગે તેમના સંસારી પરિવારના માંડવી - કચ્છમાં રહેતા મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ તરફથી તારીખ ૧૧-૦૨ મંગળવારના રોજ જીવદયા અને માનવસેવાના કાર્યો કરાયા હતા.

JAIN : માંડવીના બહેરા મૂંગા વિદ્યાલયના મુકબધીર બાળકોને અને માંડવીમાં રખડતા ભટકતા અલગારીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું તેમજ શ્વાનોને રોટલા આપીને જીવ દયા અને માનવ સેવાના કાર્યો કરાયા હોવાનું પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.

JAIN : અત્રે એ ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી અઢાર વર્ષ પહેલા જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંત યશ સૂરીશ્વરજી મહારાજ પાસે આડેસર (તા. રાપર) કચ્છ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષાગ્રહણ કરી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST