JANKLYAN : તેરાપંથ જૈન સંઘના આચાર્યશ્રી મહાશ્રમણજી ના
"જન કલ્યાણ મેડિકલ સોસાયટી"માં પગલાં
JANKLYAN : માંડવીના 445 માં સ્થાપના દિને માંડવીની "જન કલ્યાણ મેડિકલ સોસાયટી"માં પગલાં કરીને તેરાપંથ જૈન સંઘના આચાર્યશ્રી મહાશ્રમણજી એ દર્દીઓને જલ્દીથી તંદુરસ્ત થવા આશીર્વાદ આપ્યા.
JANKLYAN : માંડવીના 445 માં સ્થાપના દિને માંડવીમાં છેલ્લા 32 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી અને માંડવી- ભુજ હાઇવે ઉપર આવેલ સંસ્થા "જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત", નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માં તેરાપંથ જૈનસંઘ ના 11 માં આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ આદિ ઠાણા માંડવી ની બે દિવસ ની યાત્રા સંપન્ન કરીને માંડવીથી પગપાળા વિહાર કરીને તારીખ 24 /2 ને સોમવારના સવારના 8:15 કલાકે પગલા કરીને દર્દીઓને જલ્દીથી તંદુરસ્ત થવા આર્શીવાદ પાઠવ્યા હતા.
JANKLYAN : જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ અને ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે સંસ્થા દ્વારા ૩૨ વર્ષથી કરાતી આરોગ્ય સેવાની વિગતે માહિતી આપી હતી. જૈન સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને મહાસતીઓને અપાતી નિઃશુલ્ક આરોગ્ય સેવા,ડાયાલિસિસ ની નિઃશુલ્ક સેવા અને દવા પણ ૫૦ (પચાસ) ટકા રાહત ભાવે અપાય છે તેમ જણાવી, "મેડિકલી વૈયાવચ્ચ કેન્દ્ર" નિર્માણ થઈ રહ્યું છે તે જાણીને આચાર્ય મહાશ્રમણજી ભારે પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ,ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહ , ટ્રસ્ટી અને સલાહકાર નિવૃત સનદી અધિકારી શ્રી વી. કે.સોલંકી, ટ્રસ્ટી નરોત્તમભાઈ ધોળું અને રાજુભાઈ ચૌધરી તથા સંસ્થાના એડમિન ઉમેશચંદ્ર નાકર ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્ય સાથે અન્ય સાધુ ભગવંતો, તેરાપંથ તથા જૈન સમાજના શ્રાવકો અને વિહાર ગ્રુપના યુવાનો સાથે રહ્યા હતા.
આ પણ વાંચો : MANDVI BEACH CITY : માંડવી શહેરના ૪૪૫ માં સ્થાપના દિનની ઉજવણી
INDIAN SOCIOLOGIST