JIVDAYA : જીવદયા ની પ્રવૃત્તિ કરતી માંડવીની સંસ્થા માણીભદ્રવીર દાદા ગ્રુપ સેવા યજ્ઞના 12 વર્ષ સંપન્ન કરી 13 માં વર્ષમાં પ્રવેશ કરે છે.
તેની ખુશીમાં તલવાણા ગામની ઈશ્વરેશ્વર ગૌશાળા ને ₹2,51,000 નું દાન આપ્યું.
તલવાણા ની સુમતિનાથ પાંજરા પોળ ના મૂંગા પશુઓને 11 ગુણી ભુસો તથા 50 કિલોગ્રામ ગોળ પણ આપ્યો.
JIVDAYA : જીવદયા ની પ્રવૃત્તિ કરતી માંડવીની સંસ્થા" માણિભદ્રવીર દાદા ગ્રુપ "સેવાયજ્ઞ ના 12 વર્ષ સંપન્ન કરી 13 માં વર્ષમાં પ્રવેશ કરે છે તેની ખુશીમાં તલવાણા ગામની ઈશ્વરેશ્વર ગૌશાળા ને માંડવીના જીવદયા પ્રેમી ઝરણભાઈ ભરતભાઈ શાહની પ્રેરણાથી રૂપિયા 2,51,000 (બે લાખ એકાવન હજાર) નું દાન આપેલ છે.
JIVDAYA : માંડવીના માણિભદ્રવીર દાદા ગ્રુપના પંકજભાઈ શાહ,મયુરભાઈ શાહ,મુકેશભાઈ શાહ, અજીતભાઈ પટવા, ઝરણભાઈ શાહ,લહેરીભાઈ શાહ,અરૂણભાઇ પરમાર અને જીવદયાપ્રેમી વિઠ્ઠલભાઈ સોનીએ ગુરુકુળના સ્વામી પ્રભુજીવનદાસજી ની ઉપસ્થિતિમાં ઈશ્વરેશ્વર ગૌશાળા ના ટ્રસ્ટીઓને રૂપિયા 2,51,000 ના દાનનો ચેક અર્પણ કરેલ હોવાનું માંડવી ના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
માણિભદ્રવીર દાદા ગ્રુપના કાર્યકર્તાઓએ ઈશ્વરેશ્વર ગૌશાળા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સુમતિનાથ પાંજરાપોળ ( તલવાણા) ના મૂંગા પશુઓ માટે 11 ગુણી ભુસો અને 50 કિલોગ્રામ ગોળ પણ આપેલ હતો.
JIVDAYA : અત્રે એ ઉલ્લેખનીય છે કે માંડવીના માણિભદ્રવીર દાદા ગ્રુપ છેલ્લા 12 વર્ષથી દર રવિવારે માંડવી ની ગાયમાતા અને શ્વાનોને ગોળની લાપસી નું ભોજન આપે છે. જેમાં દર રવિવારે 20 કિલો ગ્રામ ગોળ માંડવીના સેવા મંડળ તરફથી મળે છે. લાપસી પણ સેવા મંડળના મંછારામ બાપુના વાડા (ભીડબજાર) માંડવી મધ્યે બનાવવામાં આવે છે. માણિભદ્રવીર દાદા ગ્રુપના કાર્યકરો હાથ ગાડીમાં લાપસી લઈને શેરીએ- શેરીએ ફરીને ગાયમાતા અને શ્વાનોને લાપસી નું ભોજન પીરસે છે.
JIVDAYA : આ સેવા યજ્ઞમાં પંકજભાઈ, મયુરભાઈ, અજીતભાઈ, લહેરી ભાઈ ,મુકેશભાઈ, હરેશભાઈ, અરુણભાઈ, રાજુભાઈ, હિતેનભાઈ, વિવેકભાઈ, હીરજીભાઈ, દીપકભાઈ, વિરલભાઈ, સોની મહાજન અને ચિરાગભાઈ સહયોગ આપી રહ્યા હોવાનું દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
INDIAN SOCIOLOGIST