S.T.NIGAM : ગુજરાત રાજ્ય ના એસ ટી નિગમ ની તમામ પ્રકાર ની એસ ટી બસો માં નિ:શુલ્ક મુસાફરી નો લાભ એવોર્ડી શિક્ષકોને આપવા રાજ્યના શિક્ષણમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ની માંગણી.
રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ સાથે ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનના સ્થાપક પ્રમુખ ડૉ. માનસિંગભાઈ ચૌધરી, ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ અને અગ્રણીઓ નજરે પડે છે.
S.T.NIGAM : ગુજરાત રાજ્યના એસ ટી નિગમની તમામ પ્રકાર ની એસ ટી બસો માં નિઃશુલ્ક મુસાફરીનો લાભ રાજ્યના એવોર્ડી શિક્ષકોને આપવા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશને માંગણી કરેલ છે.
S.T.NIGAM : ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનના રાજ્યના સંગઠન મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ (માંડવી - કચ્છ) ના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સ્થાપક પૂર્વ પ્રમુખ અને હાલના સલાહકાર ડૉ.માનસિંગભાઈ ચૌધરીની આગેવાની હેઠળ એવોર્ડી ટીચર્સ ફેડરેશન નું પ્રતિનિધિ મંડળે તાજેતરમાં 29 મી જાન્યુઆરી 2025 ના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ ની તેમના કાર્યાલયમાં એવોર્ડી શિક્ષકોના પડતર પ્રશ્નોની રજૂઆત માટે મળેલ હતું. આ પ્રતિનિધિ મંડળમાં ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ,ડૉ. માનસિંગભાઈ ચૌધરી, મંત્રી મનુભાઈ નાયક, નિવૃત્ત આચાર્ય મણીબેન દેસાઈ, ગણેશભાઈ મકવાણા, દિવાન બલ્લુભાઈ, જયેશભાઈ ઠક્કર અને મનુભાઈ પાવરા જોડાયા હતા.
આ પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ એસ ટી નિગમની તમામ પ્રકારની એસ ટી બસો માં એવોર્ડી શિક્ષકોને નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવા રજૂઆત કરી હતી.
S.T.NIGAM : ફેડરેશન ના સ્થાપક પ્રમુખ ડૉ.માનસિંગભાઈ ચૌધરીએ રજૂઆત માં શિક્ષણ મંત્રીશ્રીને જણાવ્યું હતું કે અમારી ધીરજ હવે ખૂટી ગઈ છે. આ પ્રશ્નનો સત્વરે ઉકેલ નહીં આવે તો તે માટે મહાત્મા ગાંધીજી ના માર્ગે અનશન ઉપર બેસવાની ફરજ પડશે. શિક્ષણ મંત્રીએ રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને અનશન ઉપર ઉતરવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું અને આ પ્રશ્નનો ઝડપથી ઉકેલવાની શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પ્રતિનિધિ મંડળને ખાત્રી આપી હતી.
આ પણ વાંચો : GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
INDIAN SOCIOLOGIST