MANDVI : માંડવીના ખરતરગચ્છ જૈન સંઘ ને બે દાતાશ્રી ઓ તરફ થી રૂપિયા 2,02,262 /- નું દાન મળ્યું.
MANDVI : માંડવીના ખરતરગચ્છ જૈન સંઘને માંડવીના વતનપ્રેમી દાતા તરફથી તાજેતરમાં રૂપિયા 2,0 2,262/- (બે લાખ બે હજાર બસો બાસઠ) નું દાન મળેલ છે.
MANDVI : શ્રી ખરતરગચ્છ જૈન સંઘ, માંડવી- કચ્છ સંચાલિત, જિનદત્ત નગર- દાદાવાડી મધ્યે શ્રી જયાનંદમુનિ આરાધના ભુવન તથા યાત્રિક ભુવન માં સહયોગી દાતા તરીકે જાગેશભાઈ વીરસેનભાઇ વસા ( હસ્તે:- માતૃશ્રી રંજનબેન વીરસેનભાઇ વસા,માંડવી,હાલે વડોદરા) તરફથી રૂપિયા 1, 01,131/- (એક લાખ, એક હજાર, એકસો એકત્રીસ)અને સ્વ. વિમલેશભાઈ ,સ્વ.સુરજબેન અને સ્વ. જગજીવન પાનાચંદ શાહના આત્મશ્રેયાર્થે (હસ્તે:- માતૃશ્રી લીલાવંતીબેન રાઘવજી શાહ, ભુજ, હાલે ભાયખલા - મુંબઈ)તરફથી રૂપિયા 1,01,131/-(એક લાખ, એક હજાર, એકસો એકત્રીસ)મળી કુલ બે દાતાશ્રીઓ તરફથી કુલ રૂપિયા 2,02,262 /-(બે લાખ,બે હજાર, બસો બાસઠ)નું દાન મળેલ હોવાનું ખરતરગચ્છ જૈન સંઘ માંડવી ના પ્રમુખ રાજેન્દ્રભાઈ ઈશ્વરલાલ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
MANDVI : માંડવી ખરતરગચ્છ જૈન સંઘના સમગ્ર ટ્રસ્ટી મંડળે બંને દાતા પરિવારનો આભાર માન્યો હતો.