THE INDIAN SOCIOLOGIST

NAMASKAR : નમસ્કાર તીર્થ- વોંધ માં પાંચમો ધ્વજારોહણ મંગળવારે ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.

NAMASKAR : નમસ્કાર તીર્થ- વોંધ માં પાંચમો ધ્વજારોહણ મંગળવારે ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.


NAMASKAR : જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંતયશ સૂરીશ્વરજી મહારાજ ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર અનંતજ્ઞાનવિજય મ.સા.આદિ ઠાણા -5 (પાંચ) ની પાવન નિશ્રામાં તા. 4/ 2 ને મંગળવાર ના રોજ નમસ્કાર તીર્થ-વોંધ મધ્યે પાંચમો ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા ) એ જણાવ્યું હતું.

NAMASKAR : મૂળ નાયક શ્રી સીમંધર સ્વામી ભગવાન ની ધજાનો તેમજ ધજાના દિવસે સાધર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી કેસરબેન કાથડ ગડા પરિવાર , મનફરા એ, આદેશ્વર દાદા ની ધજાનો લાભ રતનબેન રણધીર સાવલા,મનફરા( હસ્તે:- ધીરજભાઈ રણધીર સાવલા) એ અને મહાવીર સ્વામી ભગવાનની ધજાનો લાભ માતૃશ્રી પાનબાઇ કલ્યાણજી સાવલા પરિવાર- મનફરા, હાલે ,દાદર- મુંબઈ )લીધેલ છે. સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા નમસ્કાર તીર્થ નિર્માણ કમિટી જહેમત ઉઠાવી રહ્યા છે.

NAMASKAR : પાંચમી ધ્વજારોહણ પ્રસંગે સમસ્ત વિશા ઓસવાળ જ્ઞાતિજનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST