NAVCHETAN : ભુજની જૈન સેવા સંસ્થા ''નવચેતન''ના મોવડીની ૫૩ મી લગ્ન વર્ષગાંઠની તા ૧૮-૦૨ ના જનરલ હોસ્પિટલના થેલેસેમિયાના દર્દીઓ સાથે ઉજવણી કરાશે
NAVCHETAN : છેલ્લા ૧૫ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના સ્થાપક અને મોભી સેવાના ભેખધારી શ્રી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા (વી. જી. મહેતા) અને ભારતીબેન વી. મહેતા તા ૧૮- ૦૨ ને મંગળવારના રોજ દાંપત્ય જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
NAVCHETAN : તેની ખુશાલીમાં તે દિવસે સંસ્થાના ઉપક્રમે સંસ્થાના કાર્યકરોની ઉપસ્થિતિમાં જનરલ હોસ્પિટલ - ભુજમાં સારવાર લેતા થેલેસેમીયાના દર્દીઓ માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં માતા ચોથીબેન ગણેશભાઈ મહેતા પરિવાર - લોદ્રાણી ભુજ ના સહયોગથી ૧૪૬ દર્દીઓને પ્રોત્સાહિત કરી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરાશે તેવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને હિરેનભાઈ દોશીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : MEGA MEDICAL CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પનો પૂર્ણાહુતી સમારંભ
INDIAN SOCIOLOGIST