THE INDIAN SOCIOLOGIST

SANMAN : માંડવી ની ત્રણ સંસ્થા આવતીકાલે બુધવારે માંડવીમાં બે કચ્છી સર્જકોનું જાહેર સન્માન કરશે.

SANMAN : માંડવી ની ત્રણ સંસ્થા આવતીકાલે બુધવારે માંડવીમાં બે કચ્છી સર્જકોનું જાહેર સન્માન કરશે.


ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા વિશ્રામભાઇ ગઢવીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને ડૉ.પૂર્વીબેન ગોસ્વામી ની યુવા ગૌરવ પુરસ્કાર માટે પસંદગી થવા બદલ સન્માન કરાશે.

SANMAN : ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા મોટા લાયજા (તા. માંડવી) ના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઇ ગઢવીને કચ્છી ભાષા ના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ સાહિત્ય ગૌરવ અને ભુજના ડૉ. પૂર્વીબેન ગોસ્વામીની યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદગી થવા બદલ આ બંને કચ્છી સર્જકોનું આવતીકાલ તા. 19/ 2 ને બુધવારના રોજ સવારે 11 વાગ્યે માંડવીની લોહાણા બોર્ડિંગ (પોસ્ટ ઓફિસ પાસે) ખાતે માંડવીની ત્રણ સંસ્થાઓ દ્વારા જાહેર સન્માન કરવામાં આવશે.

SANMAN : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ મોતા અને ભરતભાઈ થલેશ્વર, માંડવીની લોહાણા બોર્ડિંગ ના પ્રમુખ હરિશભાઈ ગણાત્રા તથા માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહના હસ્તે બંને કચ્છી સર્જકો વિશ્રામભાઈ ગઢવી (મોટા લાયજા) અને ડૉ. પૂર્વીબેન ગોસ્વામી (ભુજ) નુ જાહેર સન્માન કરવામાં આવનાર હોવાનું આયોજક ત્રણે સંસ્થાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST