RAPAR : રાપર તાલુકાના ગાગોદર ગામમાં શનિવારે જિનાલયની 16 મી વર્ષગાંઠ- ધ્વજારોહણ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.
RAPAR : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય અનંતયસ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ શ્રમણ - શ્રમણી ભગવંતો ની પાવન નિશ્રામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા ની 16 મી વર્ષગાંઠ- ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.
RAPAR : તા. 28/ 2 ને શુક્રવાર ના સવારના સાત કલાકે ગુરૂ ભગવંતો ના નગર પ્રવેશ નું ભવ્યાતિ ભવ્ય સામૈયું નિકળનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા ની ધ્વજારોહણ નો લાભ હિરાચંદભાઈ મહાદેવભાઇ લોદરીયા પરિવારે, શ્રી માણીભદ્ર વીર દાદા ની ધ્વજારોહણ નાં લાભાર્થી માતૃશ્રી ચંચળબેન મહાદેવભાઇ મહેતા પરિવારે અને શ્રી ગુરુચરણ પાદુકાની ધ્વજારોહણના લાભાર્થી નેમચંદભાઈ ઈન્દરજીભાઈ મહેતા પરિવાર છે.
RAPAR : શનિવારે સવારે 6:30 કલાકે પ્રભાતિયા,8:00 કલાકે નવકારશી છે. તેનો લાભ સોમચંદભાઈ હરચંદભાઈ મહેતા પરિવારે લીધેલ છે. સવારે 8:30 કલાકે અઢાર અભિષેક (સ્નાત્ર પૂજા), 9:30 કલાકે ધ્વજા ની શોભાયાત્રા અને 10:30 કલાકે સતરભેદી પૂજા અને બપોરે 12 : 39 કલાકે ધ્વજારોહણ થશે.
RAPAR : બપોરે એક કલાકે શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય નો લાભ શ્રી હિરાચંદભાઈ મહાદેવભાઇ લોદરીયા પરિવારે અને સાંજે 5:30 કલાકે શ્રી સંઘ સ્વામિ વાત્સલ્યનો લાભ માતૃશ્રી જયાબેન જયંતીલાલ મહેતા પરિવારે લીધેલ છે.
વિધિકાર તરીકે સુરેશભાઈ ગઢેચા પધારશે જ્યારે સંગીતકાર તરીકે શ્રી ભાવિકભાઈ શેઠ રમઝટ બોલાવનાર હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : PANJARAPOL : શ્રી જીવદયા મંડળ, આડેસર...રૂપિયા ૫૧૦૦૦/- નું દાન મળ્યું
INDIAN SOCIOLOGIST