MANDVI : "મડઈ જા માડૂ", રામસેતુ ગ્રુપ- અમદાવાદ વિધાનસભા ગૃહ ને મંગળવારે નજરે નિહાળશે.
માંડવી - ૨, વિધાનસભા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ 'વતન પ્રેમી પ્રત્યે રાજીપો દર્શાવ્યો.
MANDVI : રામસેતુ, માંડવી, કર્ણાવતી ગ્રુપ, અમદાવાદ પ્રાયોજિત 'મડઈ જા માડૂ' કે જેમાં માંડવી કે તાલુકાના હાલમાં અમદાવાદ/ ગાંધીનગર રહેતા હોય તેવા પરિવારોના સભ્યો તારીખ 4/ 3/ 2025, મંગળવારે ગુજરાત વિધાનસભા, ગાંધીનગર માં લાઈવ કાર્યવાહી નિહાળશે.
MANDVI : વ્યવસ્થાપક કમિટીના ઉદયભાઇ કારાણી તેમજ ડોલરભાઈ કાનાણી ના જણાવ્યા અનુસાર માંડવી - ૨ વિધાનસભાના યશસ્વી, વતન પ્રેમી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ સકારાત્મક વલણ દર્શાવતા રામસેતુ ગ્રુપ ના સભ્યો તારીખ 4/ 3/ 2025, મંગળવારે સવારે 11:00 કલાકે ગુજરાત વિધાનસભામાં હાજર રહી ગૃહની કાર્યવાહી નજરે નિહાળશે.
MANDVI : મીડિયા કન્વીનર અને વ્યવસ્થાપક કમિટીના ઈશ્વરલાલ ગણાત્રા તેમજ શિરીષભાઈ શનિશ્ચરા એ સંપૂર્ણ તૈયારી અંગેની માહિતી આપતા કહ્યું કે, 15 થી 75 વર્ષની વયના ગ્રુપ ના ભાઈ- બહેનો વિધાનસભા ગૃહ ની લાઈવ મુલાકાત લેવા વિશેષ ઉત્કંઠતા દર્શાવી છે, જેમાં જિંદગીમાં પહેલી જ વખત ગૃહને નજરે જોવાનો લ્હાવો મળવાનું હોઈ અત્યંત આનંદિત તેમજ પ્રભાવિત થયા છે.
MANDVI : આ રામસેતુ ગ્રુપ ના જ મેમ્બર એવા માંડવી - મુન્દ્રા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ , અમદાવાદ /ગાંધીનગર સ્થિત તમામ વતનપ્રેમી પરિવારો ને તા.૪/૩/૨૦૨૫, મંગળવારે વિધાનસભા ગૃહ નિહાળવા "આમંત્રણ " આપી વિશેષ માર્ગદર્શન આપતાં વ્યવસ્થાપક કમિટીના કિશોરભાઈ શાહ, નીતિનભાઈ ચાવડા, હરેશભાઈ સેંઘાણી, કમલભાઈ વેદ એ આભાર સહ અભિનંદન પાઠવી કાર્યક્રમની સફળતા માટેની સખત જહેમત ઉઠાવી રહ્યા હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું
આ પણ વાંચો : PANJARAPOL : શ્રી જીવદયા મંડળ, આડેસર...રૂપિયા ૫૧૦૦૦/- નું દાન મળ્યું
INDIAN SOCIOLOGIST