THE INDIAN SOCIOLOGIST

છ કોટી સ્થાનકવાસી જૈન સંઘે નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન નો નિઃશુલ્ક કેમ્પ યોજયો.

લીંબડી નગરે "અજરાધામ"ની ખનનવિધિ ની ખુશીમાં માંડવી નાં છ કોટી સ્થાનકવાસી જૈન સંઘે નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન નો નિઃશુલ્ક કેમ્પ યોજયો.



શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાય અંતર્ગત શ્રી અજરામર કૃપા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં "અજરાધામ "નવનિર્માણ ની ખનનવિધિ ના ઘંટનાદ ની ખુશી માં માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ તરફથી માંડવી ના "કિરણ ક્લિનિક "માં 12 વર્ષ સુધીના નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પનો માંડવી શહેરના 12 વર્ષ સુધી ના બાળકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.આ કેમ્પમાં ડૉ.જય કિર્તીભાઈ મહેતા એ સેવા આપી હોવાનું માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરૂદેવ ભાસ્કર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ સવારના 10:00 થી 1:00 અને સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી ચાલેલ હોવાનું માંડવી છ કોટી જૈન સંઘના મંત્રી પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી.શાહે જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST