લીંબડી નગરે "અજરાધામ"ની ખનનવિધિ ની ખુશીમાં માંડવી નાં છ કોટી સ્થાનકવાસી જૈન સંઘે નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન નો નિઃશુલ્ક કેમ્પ યોજયો.
શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાય અંતર્ગત શ્રી અજરામર કૃપા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં "અજરાધામ "નવનિર્માણ ની ખનનવિધિ ના ઘંટનાદ ની ખુશી માં માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ તરફથી માંડવી ના "કિરણ ક્લિનિક "માં 12 વર્ષ સુધીના નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પનો માંડવી શહેરના 12 વર્ષ સુધી ના બાળકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.આ કેમ્પમાં ડૉ.જય કિર્તીભાઈ મહેતા એ સેવા આપી હોવાનું માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરૂદેવ ભાસ્કર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ સવારના 10:00 થી 1:00 અને સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી ચાલેલ હોવાનું માંડવી છ કોટી જૈન સંઘના મંત્રી પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી.શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સિતાંશુ યશેશચંદ્રનું ભુજ ના જાયન્ટસ ગ્રુપે અભિવાદન કર્યું
INDIAN SOCIOLOGIST