DONETION : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ને પચાસ હજાર રૂપિયાનું દાન મળ્યું.
DONETION : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ માધાપર ના દાતા તરફથી સંસ્થાને પચાસ હજાર રૂપિયાનું દાન મળ્યું.
અંધ, અપંગ,મંદબુદ્ધિ અને બહેરા- મૂંગા જેવા દિવ્યાંગોના સેવાકીય કાર્યો અને તેમના ઉત્કર્ષ માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા "અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી"ની દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ ભુજ તાલુકાના માધાપર ના દાતા તરફથી તાજેતરમાં સંસ્થાને રૂપિયા 50,000 (પચાસ હજાર)નું દાન મળેલ છે.
DONETION : માધાપર ના રોહિતભાઈ શાહ, માંડવી ના વિરલભાઈ દેવજીભાઈ મહેતા ( ડગાળાવાલા) અને સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ ની પ્રેરણાથી માધાપર ( તા.ભુજ) ના દાતા વરસાણી શામજીભાઈ હિરજીભાઈ( હસ્તે:- સુપુત્રો રમેશભાઈ શામજીભાઈ વરસાણી અને લક્ષ્મણભાઈ શામજીભાઈ વરસાણી) તરફથી તાજેતરમાં સંસ્થાને રૂપિયા 50,000(પચાસ હજાર) નું દાન મળેલ છે.
સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ,ઉપપ્રમુખ ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી અને અરવિંદભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઇ મીર, સહ ખજાનચી અશ્વિનભાઈ ગજરા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સિતાંશુ યશેશચંદ્રનું ભુજ ના જાયન્ટસ ગ્રુપે અભિવાદન કર્યું
INDIAN SOCIOLOGIST