KR : ખીમજી રામદાસ કાં મસ્કતના જૂના સ્ટાફ મેમ્બર્સનું માંડવીમાં સ્નેહમિલન યોજાયું
KR : ખીમજી રામદાસ કાં. - મસ્કત માંથી જૂના- રીટાયર્ડ થયેલા સ્ટાફ મેમ્બર્સનું રી-યુનિયન સ્નેહ મિલન તાજેતરમાં માંડવીના ગોકુલ રંગભવન મધ્યે શેખશ્રી અનીલભાઈ ખીમજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું. સ્નેહ મિલનની શરૂઆતમાં ડો. ચંદ્રકાંતભાઈ વલ્લભદાસ ચોથાણીએ સ્વાગત પ્રવચનમાં પોતાના તથા સમગ્ર સ્ટાફની લાગણી, પ્રેમ અને ખુશી વ્યકત કરી હતી.
KR : અનીલભાઈ ખીમજી, શ્રીમતી અનીતાબેન અનીલભાઈ, કીરણભાઈ આશર, શ્રીમતી જયશ્રીબેન આશર, યશવંતભાઈ સંપટ, વિગેરે સ્નેહ મીલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દીપ પ્રાગટયથી કાર્યક્રમ શરૂ કર્યો હતો. સ્ટાફ વતી ખીમજીભાઈ ખત્રી ઉ.વ.-૯૦ ના હસ્તે અનીલભાઈનું શાલ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. નટુભાઈ સોમેશ્વરે પરિવારની કૌટુંબીક ભાવનાને બિરદાવતાં આજના સ્નેહ મિલનના આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી. કીરણભાઈ આશરે સ્વ. શેઠશ્રી કનકસિંહભાઈ ખીમજીના જીવનની યાદગાર ઝલકની વિડીયો કલીપ બતાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા અને ખીમજી રામદાસ પરિવારની મુકત કંઠે પ્રશંસા કરી હતી.
KR : પુષ્પોથી સન્માન શ્રીમતી ચેતનાબેન ચંદ્રકાંતભાઈ ચોથાણી, શ્રીમતી જયશ્રીબેન સોમેશ્વર, શ્રીમતી રશ્મીબેન સંપટ, શ્રીમતી જયોતિબેન ચાવડા, શ્રી કાન્તીભાઈ ચાવડા, વિગેરેએ કર્યું હતું. બરોડાથી દેવેનભાઈ ગાંધી, ગીરીશભાઈ ભુજવાળા, લક્ષ્મણભાઈ ગઢવી, તેમજ કચ્છ પટેલ સમાજના ભાઈઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી શેઠને મળી આનંદ વિભોર બની ગયેલ. તેમજ કોઈ ૨૦ વર્ષે, કોઈ ૩૦, કે ૪૦ વર્ષે, ૫૦ વર્ષે મળ્યાનો આનંદ વ્યકત કરી જૂના સંભારણાઓ યાદ કર્યા હતા. કુમારી જાનકી દીલીપ ચાવડાએ પોતે તૈયાર કરેલ પેઇન્ટીંગની ભેટ શેઠને અર્પણ કરવામાં આવી હતી. જે પેઈન્ટીંગની ઉપસ્થિત સર્વે મહેમાનોએ પ્રશંસા કરી બિરદાવી હતી.
KR : માંડવી ખીમજી રામદાસ ટ્રસ્ટના મેનેજર ભરતભાઈ વેદે શૈક્ષણીક પ્રવૃતિઓની ઝલક આપી આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સંપટ, હિમાંશુભાઈ સ્વાલી, દિલીપભાઈ ચાવડા, કાન્તીભાઈ ચાવડા, કરશનભાઈ બારોટ, જીવણભાઈ ગઢવી, કેશરાભાઈ પટેલ, રામભાઈ કષ્ટા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. અનીલભાઈ ખીમજી પરિવાર તરફથી મહાપ્રસાદ ભોજનને ન્યાય આપી સૌ ખુશનુમા વાતાવરણમાં છુટા પડયા હતા.
KR : માંડવી કચ્છ ગોકુલ રંગ ભવનમાં તાજેતરમાં મસ્કત ઓમાની કાં. ખીમજી રામદાસનાં જુના સ્ટાફનો એક સ્નેહ મિલનનો સુંદર આયોજન શેઠશ્રી અનીલભાઈ મથરાદાસ ખીમજીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. તેમાં ખાસ મસ્કત થી શેઠશ્રી કિરણભાઈ આશર, શ્રીમતી અનીતાબેન ખીમજી, શ્રીમતી જયશ્રીબેન આશર અને યશવંતભાઈ સંપટ વિગેરેએ હાજરી આપેલ હતી. જેમાં ખાસ તો કિરણભાઈ આશર દ્વારા શેઠશ્રી કનકસીંહભાઈ ખીમજીની લાઈફ ઉપર વીડીયો કલીપની ઝલક બનાવેલ હતી અને સર્વેએ જોઈને જાણીને સાંભળીને ખુબજ પ્રભાવિત થયા હતા અને કિરણભાઈ એ ખાસ સર્વેને જણાવેલ કે, આપણે કનકભાઈની લાઈફનાં ગૂણોને, સેવાનાં કાર્ય ને અપનાવીએ અને જીંદગી સાર્થક કરીએ. કનકભાઈની ખુબ જ ખોટ સાલે છે કિરણભાઈ આશર જેઓ પોતે પણ ભારતીય પ્રવાસી એવોર્ડ વિજેતા છે. એક જાણીતા સમાજ સેવક તથા મસ્કત ખાતેની ઘણી બધી જ સંસ્થામાં એમનો યોગદાન અને સિંહફાળો સેવા પ્રસંશનીય છે.
આ પણ વાંચો : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ