GST & INCOME TAX : માંડવીમાં ઇન્કમટેક્સ અને જી.એસ.ટી. અંગે માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો.
ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટ અને એડવોકેટ શ્રીઓએ વિગતવાર માર્ગદર્શન આપ્યું.
માંડવીના વ્યાપારીઓ, એકાઉન્ટન્ટ શ્રીઓ અને કર્મચારીઓએ બહોળી સંખ્યામાં સેમિનાર નો લાભ લીધો.
GST & INCOME TAX : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના ઉપક્રમે માંડવીમાં ઇન્કમટેક્સ અને જી.એસ.ટી. અંગે માર્ગદર્શન આપવા તાજેતરમાં સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રીઓ અને એડવોકેટશ્રીઓએ વિગતવાર માર્ગદર્શન આપેલ હતું .આ સેમિનાર નો માંડવીના વ્યાપારીઓ, એકાઉન્ટન્ટ શ્રીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
GST & INCOME TAX : ચેમ્બર ઓફ કોમર્સ ના હોલમાં યોજાયેલા આ સેમિનારમાં પ્રારંભમાં સંસ્થાના માનદ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ સુરૂ એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટો અને એડવોકેટો, ઇન્કમટેક્સ અને જી.એસ.ટી. વિશે માર્ગદર્શન આપવા, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ના આમંત્રણ ને માન આપી, માંડવી આવ્યા, તે બદલ તેમના પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
GST & INCOME TAX : આ સેમિનારમાં ભુજના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટો સર્વશ્રી નિકિતભાઈ દેસાઈ અને મૈત્રીબેન રાઠોડ તેમજ એડવોકેટ મેહુલભાઈ પંડ્યા તથા ગાંધીધામના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિભાઈ ચંડીરામાણી એ 2025 ના બજેટના ઇન્કમટેક્સ અને જી.એસ.ટી. વિશે વિગતે માર્ગદર્શન આપેલું હોવાનું માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
GST & INCOME TAX : માંડવીમાં સેમિનારનું આયોજન કરવા બદલ ગાંધીધામ અને ભુજથી માંડવી આવેલા ચાર્ટર એકાઉન્ટન્ટો અને એડવોકેટો એ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી વતી રાજેશભાઈ વાડીલાલ દોશી, માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક, ચિંતનભાઈ મહેતા અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહનું સન્માન કરેલું હતું.
GST & INCOME TAX : આ સેમિનારમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી,કચ્છ જ્વેલર્સ ફેડરેશન અને માંડવી બુલીયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપ્ટા, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના મંત્રી દિનેશભાઈ શાહ, માંડવી જૈન બે નાત ના ખજાનચી જુગલભાઈ સંઘવી,નેન્શીબેન સંઘવી એ પૂછેલા પ્રશ્નોના ભુજ અને ગાંધીધામના ચાર્ટર એકાઉન્ટન્ટો એ સંતોષકારક જવાબો આપેલ હતા. અને તેઓએ દર વર્ષે માર્ગદર્શન આપવા માંડવી આવવા ખાત્રી ઉચ્ચારી હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી એ જણાવ્યું હતું.
GST & INCOME TAX : સેમિનારને સફળ બનાવવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો,જૈમીન રસિકભાઈ દોશી વગેરે એ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરૂ એ કરેલ હતું જ્યારે માંડવી જૈન જાગૃતિ સેન્ટર ( જે. જે. સી.) અને માંડવી તેરા પંથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ વાડીલાલ દોશી એ આભાર દર્શન કરેલું હતું.
આ પણ વાંચો : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ
INDIAN SOCIOLOGIST