MANDVI : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી નો 33 મો સ્થાપના દિવસ દિવ્યાંગોના સેવા કાર્યથી ઉત્સાહભેર ઉજવાયો.
MANDVI : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના 33 માં સ્થાપના દિને નાગલપર ના ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા રફીકભાઈ રાયમાને ટ્રાયસિકલ અર્પણ કરતા દાતા પરિવારના માવજીભાઈ મેપાણી, કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી મેપાણી (મોટા આસંબીયા ),મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ નજરે પડે છે.
- ભુજના સો ટકા પ્રજ્ઞાચક્ષુ બેનને કેબિન માં વેપાર કરવા માટે ૧૦ (દસ) હજાર રૂપિયાની સહાય આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા.
- નાગલપુરના દિવ્યાંગ ભાઈ ને દાતાના સહયોગથી ટ્રાયસિકલ તેમજ બિદડા ની દિવ્યાંગ છાત્રાને વ્હીલચેર ભેટ અપાઈ.
- માંડવીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્થાપેલી આ સંસ્થા એ દિવ્યાંગો માટે 32 વર્ષમાં પાંચ કરોડથી વધારે રકમનો સદઉપયોગ કર્યો.
અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા - મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે સતત કાર્યરત માંડવી ની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી નો 33 મો સ્થાપના દિવસ તા. 28 /2 ને શુક્રવારના દિવ્યાંગોના સેવાકીય કાર્યો કરીને ઉત્સાહભેર ઉજવાયો હતો.
સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે સંસ્થાના 33 માં સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા વૈદરાજ માવજીભાઈ પરબત મેપાણી (મોટા આસંબીયા ) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી 32 વર્ષ દરમિયાન સંસ્થાને દાન આપનાર દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. દિવ્યાંગોના વિકાસ માટે સંસ્થા હંમેશા કટિબદ્ધ રહેશે.તેવી તેમણે ખાત્રી આપી હતી.
સંસ્થાના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે ,32 વર્ષ પહેલા માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્વ. ખેરાજબાપા ના આશીર્વાદથી તા.28 /2 /1993 ના રોજ સ્થાપેલી આ સંસ્થાએ દાતાશ્રીઓ અને સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓના સહયોગથી દિવ્યાંગો માટે રૂપિયા પાંચ કરોડથી વધારે માતબર રકમનો સદઉપયોગ કરેલ છે.
MANDVI : અક્ષર નિવાસી પ્રેમજી રામજી પિંડોરીયા ની સ્મૃતિમાં રતનબેન પ્રેમજી ,રાજેશ, હિતેશ પિંડોરીયા (મોટા આસંબીયા) ના આર્થિક સહયોગથી નાગલપર તાલુકો માંડવીના ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા રફિકભાઈ અલારખ્યા રાયમા ને ટ્રાયસિકલ તેમજ અક્ષર નિવાસી પરબત શામજી મેપાણી અને અક્ષર નિવાસી રાધાબાઈ પરબત મેપાણીની સ્મૃતિમાં વૈદરાજ માવજીભાઈ પરબત મેપાણી (મોટા આસંબીયા)ના આર્થિક સહયોગથી બિદડા (તા. માંડવી)ની પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા ઉર્વશી સુનિલભાઈ મહેશ્વરી ને વ્હીલચેર દાતા પરિવાર અને ટ્રસ્ટી મંડળના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ભુજમાં કેબિનમાં વેપાર કરતાં ૧૦૦(એકસો) ટકા પ્રજ્ઞાચક્ષુ શ્રીમતી ગીતાબેન મોહનલાલ માતંગને વેપાર કરવા માટે રૂપિયા 10,000 (દસ હજાર) નો ચેક ટ્રસ્ટી મંડળના હસ્તે અર્પણ કરીને ગીતાબેન માતંગ ને આત્મનિર્ભર બનાવવા સંસ્થાએ પ્રયાસ કર્યો હતો.આ પ્રસંગે અરવિંદભાઈ જોશી,દાતા માવજીભાઈ મેપાણી, કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી મેપાણી નું સન્માન કરાયું હતું.
મુખ્ય મહેમાન પદેથી મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉ.ચંદ્રકાંત ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ સંસ્થાએ ૩૨ વર્ષ દરમિયાન સાધેલી પ્રગતિની સરાહના કરી સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી સંસ્થાને હંમેશા સાથ સહકાર આપવાની ખાત્રી ઉતારી હતી.
MANDVI : સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થાએ દિવ્યાંગો માટે ઘણું કરેલ છે.અને હજુ પણ કરતી રહેશે. તેમ જણાવી સંસ્થાને એક દાતા તરફથી ભવિષ્યમાં રૂપિયા 51 લાખ જેટલી માતબર રકમનું દાન અપાવવાની ખાત્રી આપી હતી.
સંસ્થાના ટ્રસ્ટી દમયંતીબેન બારોટે પણ પોતાના પ્રસંગિક પ્રવચનમાં સંસ્થાની પ્રગતિ બદલ હાલના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવી, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ.મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણાએ ટ્રસ્ટીઓના સહકારથી સોળ જેટલા પોલિયો ઓપરેશન ના કેમ્પ કરીને અંદાજે 3500 (ત્રણ હજાર પાંચસો )દિવ્યાંગો ને ચાલતા કર્યા નું જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસ્થાની સ્થાપનામાં સિંહ ફાળો કમલેશભાઈ પાઠક, સ્વ. કિશોરભાઈ બચુભાઈ સોની અને સ્વ. ચીમનભાઈ નથુભાઈ પટેલે આપેલ છે.
MANDVI : સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, ટ્રસ્ટી ડૉ.આદિત્યભાઈ ચંદારાણા,રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક, સહમંત્રી સુલતાનભાઇ મીર, સહ ખજાનચી અશ્વિનભાઈ ગજરા વગેરે એ ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું.જ્યારે સહમંત્રી સુલતાન ભાઈ મીરે આભાર દર્શન કરેલ હતું.
દાતા પરિવારના માવજીભાઈ મેપાણી,કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી (ત્રણે મોટા આસંબીયા ) એ પણ ઉપસ્થિત રહીને સંસ્થાની કામગીરીને બિરદાવી,સંસ્થાને હમેશા સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી. સંસ્થાના શૈલેષભાઈ મિઠાવાલા અને નિશાબેન પરમાર સહયોગી રહ્યા હતા.
MANDVI : સંસ્થાના સ્થાપક પ્રમુખ અને 15 વર્ષ સુધી પ્રમુખ પદે રહીને સંસ્થાની પ્રગતિમાં સિંહ ફાળો આપનાર ડૉ.મધુકર ભાઈ રાણા, શ્રીમતી સરોજબેન મધુકરભાઈ રાણા,પૂર્વ પ્રમુખ અને માંડવીના જાણીતા સર્જન ડૉ .કૌશિકભાઈ શાહ, સંસ્થાના ટ્રસ્ટી પૂર્વ ઉપપ્રમુખ અને જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી, ટ્રસ્ટી નિલેશભાઈ શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો : MANDVI : "મડઈ જા માડૂ", રામસેતુ ગ્રુપ- અમદાવાદ વિધાનસભા ગૃહ ને મંગળવારે નજરે નિહાળશે.
INDIAN SOCIOLOGIST