THE INDIAN SOCIOLOGIST

SALAYA : માંડવીની સલાયા પ્રાથમિક ગ્રુપ શાળા -૧ માં 28મી ફેબ્રુઆરીના "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ઉત્સાહભેર ઉજવાયો

માંડવીની સલાયા પ્રાથમિક ગ્રુપ શાળા -૧ માં 28મી ફેબ્રુઆરીના "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ઉત્સાહભેર ઉજવાયો.


SALAYA : જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સલાયા પ્રાથમિક શાળા નંબર -1, ગ્રુપ શાળામાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ .સી.વી. રામન ની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 28મી ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ઉત્સાહભેર ઉજવાયો હતો.

માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખ પદે શાળામાં યોજાયેલા વિજ્ઞાન મેળાના અતિથિ વિશેષ તરીકે થૈમ હાજી આમદ હાજી સિધ્ધીક (ભોલુ શેઠ) , થૈમ હાજીદાઉદ હાજી સિધ્ધીક (ધુલા શેઠ ) અને વાઘેર સમાજના અગ્રણી ઉમરભાઈ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં વિજ્ઞાન મેળા ના પ્રમુખ અને અતિથિ વિશેષ શ્રીઓએ ને બેન્ડ પાર્ટીના નાદ સાથે સામૈયા સ્વરૂપે શાળામાં મંચસ્થ કરાયા હતા.

SALAYA : શાળાના આચાર્યશ્રી કાસમભાઈ નોડે એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાના વિજ્ઞાન શિક્ષક ડૉ .ચિરાગભાઈ રાવલના માર્ગદર્શન અને તેમની મહેનતથી આ શાળાના "બાળ વૈજ્ઞાનિકો" રાજ્ય વિજ્ઞાન મેળામાં અત્યાર સુધી સાત વખત અને જિલ્લા લેવલે દસ વખત પ્રતિનિધિત્વ કરીને, માત્ર સલાયા શાળા નંબર -૧ , માંડવી શહેર કે માંડવી તાલુકા નું જ નહીં,પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

પ્રમુખ સ્થાનેથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે વિજ્ઞાન મેળા ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે,આ શાળાના આચાર્ય શ્રી કાસમભાઈ નોડે ના માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક ડૉ.ચિરાગભાઈ રાવલના અથાગ પ્રયત્નોથી આ શાળાને મોખરાના સ્થાને પહોંચાડેલ છે. ડૉ. ચિરાગભાઈ રાવલ પણ વ્યક્તિગત રીતે રાજ્યકક્ષાએ કચ્છ જિલ્લાનું 14 વખત પ્રતિનિધિત્વ કરેલ છે એ નાની સુની વાત નથી.

SALAYA : વિજ્ઞાન મેળામાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ, વિજ્ઞાન શિક્ષક ડૉ.ચિરાગભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિષય ઉપર 50 થી વધારે કૃતિઓ રજૂ કરી હતી.

અતિથિ વિશેષ શ્રી ભોલુ શેઠ, ધુલા શેઠ અને ઉમરભાઈ ભટ્ટી એ પણ શાળાની પ્રગતિ બદલ ખુશી વ્યક્ત કરી શાળાના આચાર્ય કાસમભાઈ નોડે, વિજ્ઞાન શિક્ષક ડૉ .ચિરાગભાઈ રાવલ અને સમગ્ર સ્ટાફ તથા શાળાના "બાળ વૈજ્ઞાનિકોને" અભિનંદન પાઠવ્યા હતા.

SALAYA : સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ જેતપરિયાએ કરેલ હતું. જ્યારે વિજ્ઞાન શિક્ષક ડૉ. ચિરાગભાઈ રાવલે આભાર દર્શન કરેલું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST