THE INDIAN SOCIOLOGIST

MEDICAL SERVICES : સેવાભાવી તબીબ ડો. પુલીનભાઈ વસાની પચાસ વર્ષની આરોગ્ય સેવાને બિરદાવતું માંડવીનું સેવામંડળ

MEDICAL SERVICES : માંડવીના નિઃસ્વાર્થ અને સેવાભાવી તબીબ ડો. પુલીનભાઈ વસાની સેવામંડળમાં આઠ વર્ષ સહીત માંડવીમાં કુલ પચાસ વર્ષની આરોગ્ય સેવાને બિરદાવતું માંડવીનું સેવામંડળ

માંડવીના નિઃસ્વાર્થ અને સેવાભાવી નિષ્ણાંત તબીબ ડો. પુલિનભાઈ વસાની માંડવીના સેવા મંડળમાં ૮ વર્ષ સહીત માંડવીમાં કુલ ૫૦ વર્ષની આરોગ્ય સેવા સંપન્ન કરીને ૫૧ વર્ષમાં પ્રવેશ કરેલ છે.

આ પ્રસંગે માંડવીના સેવામંડળના ટ્રસ્ટી મંડળ અને સ્ટાફનું એક સ્નેહમિલન યોજાયું હતું.

MEDICAL SERVICES : પ્રારંભમાં સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, ડો. પુલિનભાઈ વસાની માંડવીના સેવામંડળમાં ૮ વર્ષની નિઃસ્વાર્થ સેવા સહીત માંડવીમાં કુલ ૫૦ વર્ષની સેવાની સરાહના કરી હતી.

આ પ્રસંગે કર્મયોગીની કદરદાની સમા સન્માનપત્રનું વાંચન સેવામંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહે કરેલ હતું.

MEDICAL SERVICES : સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી મંડળના જયેશભાઈ જી. શાહ, ચંદ્રકુમાર એચ. શાહ, ભાવિનભાઈ આઈ. શાહ, ભગવતીપ્રસાદભાઈ એલ. મોથારાઈ અને દિનેશભાઈ એમ. શાહે, ડો. પુલિનભાઈ વસાને બુકે અને સન્માનપત્ર અર્પણ કરીને શાલ ઓઢાડી અભિવાદન કરેલ હતું. સેવા મંડળના દવાખાનાના સ્ટાફે પણ ડો. પુલિનભાઈ વસાનું અભિવાદન કરેલ હતું.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ડો. વસા નમ્રતા, નિખાલસતા અને નિઃસ્વાર્થતાનો અમૂલ્ય ગુણવૈભવ ધરાવે છે. તેઓ મીઠા, મધુર છતાં સત્ય વચનની સારવારથી દર્દીઓની અડધી બિમારીને હળવી કરવાની કળાના કસબી છે. તેઓ ઉમરલાયક નહીં પરંતુ લાયક–દાયક અને સહાયક બનેલ છે. તેનો સેવામંડળને ગૌરવ અને આનંદ છે. માંડવી સેવામંડળમાં આઠ વર્ષમાં અંદાજે એક લાખ થી વધારે દર્દીઓના દુઃખ દર્દ નિ:સ્વાર્થ પણે દૂર કરેલ છે.

MEDICAL SERVICES : સન્માનના પ્રત્યુત્તરમાં ડો. પુલિનભાઈ વસાએ જણાવ્યું હતું કે, મને સેવામંડળમાં છેલ્લા આઠ વર્ષમાં ટ્રસ્ટીઓ અને દર્દીઓ તરફથી જે પ્રેમ અને હુંફ મળેલ છે તેનો મને આનંદ અને ગૌરવ છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું જયારે ટ્રસ્ટી ભાવિનભાઈ આઈ. શાહે આભાર દર્શન કરેલ હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST