તા 27/04 રવિવારના ભુજ તથા માંડવીમાં વિવિધ સેવા કાર્યો સાથે સ્વ. ચેતન મહેતા ને ભાવંજલિ અપાશે
જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે સ્વ. ચેતન વી. મહેતા ની 21મી પુણ્યતિથિ નિમિતે, તા. 27/04 રવિવારના રોજ ભુજ તથા માંડવીમાં વિવિધ સેવા કેન્દ્રો સાથે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
પ્રથમ ચરણમાં સવારે 9:30 કલાકે શ્રી કલાપૂર્ણ સુરી કરુણાધામ પશુ હોસ્પિટલ ભુજ અને નવાપુરા - માંડવી નિ:શૂલ્ક છાશ કેન્દ્રના પ્રાંગણમાં નવચેતન પરિવાર તથા સ્વ. ચેતન મહેતા ના સ્વજનોની ઉપસ્થિતિમાં મંત્રાઘીરાજ નવકાર મહામંત્રના જાપ સાથે જીવદયા પ્રેમી - પરોપકારી સ્વ. ચેતન મહેતાને ભાવાંજલિ અપાશે અને સંસ્થાના કાર્યકરો, પરિવારજનો વીગેરે મૌન પારી સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે સ્વ. ચેતન મહેતા ને ભાવાંજલિ અર્પણ કરાશે.
આગળના ચરણમાં શ્રી કલાપૂર્ણ સુરી કરુણા ધામના 1100 જેટલા ગૌવંશને 125 મણ લીલા ચારા નું નિરણ કરાશે. બીમાર પશુધનને લાડુ - ગોળ અપાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાનોને દૂધ - રોટલી - લાડુ,પક્ષીને ચણ વિગેરે જીવદયા ના કાર્યો કરાશે ભુજ તથા માંડવીના નિ:શુલ્ક છાશ કેન્દ્રો પરથી કાળઝાળ ગરમીમાં જરૂરત મંદોને 750 લીટર ઉનાળાનું અમૃત "છાશ" નું નિ:શુલ્ક પાન કરાવાશે તેમજ શ્રમજીવીઓ તથા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરાશે તેવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઇ શાહ અને હિરેનભાઇ દોશી એ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.