THE INDIAN SOCIOLOGIST

પૂ.મહાહંસવિજયજી મ.સા. નું સંયમ જીવનના ૧૯ વર્ષ સંપન્ન કરીને ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ

૩ જી મે ને શનિવારના રોજ માંડવીના મહાહંશવિજયજી મ.સા. સંયમ જીવનના ૧૯ વર્ષ સંપન્ન કરીને ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે


મહારાજ સાહેબના સંસારી પરિવાર તરફથી માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના ત્રણ સામાયિકનો કાર્યક્રમ યોજાશે

માંડવીના શાહ વિરલકુમાર વાડીલાલ અને શ્રીમતી જયશ્રીબેન વિરલભાઈ ના કુળદીપક મલયકુમારે ૧૯ વર્ષ પહેલાં સંસારનો ત્યાગ કરી, સંયમ માર્ગે પ્રયાણ કરી, જૈનાચાર્યા પ.પૂ. પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.

પૂ.મહાહંસવિજયજી મ.સા. (મલય મહારાજ) તા.૦૩-૦૫ ને શનિવારના રોજ, સંયમ જીવનના ૧૯ વર્ષ સંપન્ન કરી, ૨૦મા વર્ષમાં પ્રવેશ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, મલયકુમાર વિરલભાઈ શાહે પ્રાથમિક શિક્ષણ, જિલ્લા પંચાયત સંચાલિત, માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નંબર ૩માં કરેલ હોવાનુ પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

પ.પૂ. મહાહંસવિજયજી મ.સા. ના સંયમજીવનના ૨૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે, તેમના સંસારી પરિવારના, શાહ વિરલકુમાર વાડીલાલ, જયાબેન રમણીકલાલ પારેખ તથા પ્રફુલાબેન ટ્રુપેનભાઈ શાહ તરફથી, તા.૦૩-૦૫ ને શનિવારના બપોરના ૦૩-૩૦ થી ૬ વાગ્યા દરમ્યાન માંડવીના શીતલ-પાર્શ્વ જિનાલયમાં, માંડવીના સમસ્ત જૈન સમાજના, પાચેગચ્છના ત્રણ સામયિક નું આયોજન કરવામાં આવેલ છે. એક- બે કે ત્રણ સામયિક પણ કરી શકાશે. સામાયિકના કાર્યક્રમમાં પાંચેગચ્છના બહેનોએ બહોળી સંખ્યામાં જોડાવા પ.પૂ. મહાહંસવિજયજી મ.સા.ના સંસારી પરિવાર તરફથી અનુરોધ કરાયો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મિડીયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું છે.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST