THE INDIAN SOCIOLOGIST

અક્ષયતૃતિયા નિમિતે છ કોટી જૈન સંઘમાં અનેક વિધ કાર્યક્રમો યોજાશે

અક્ષયતૃતિયા નિમિતે તા. ૩૦/૪ના માંડવી છ કોટી જૈન સંઘમાં યોજાશે અનેક વિધ કાર્યક્રમો ધર્મારાધના—જીવદયા–માનવસેવા—અનુકંપા તથા તકતી અનાવરણ કરાશે


શ્રી માંડવી સ્થાનકવાસ છ કોટી જૈન સંઘ દ્વારા તા. ૩૦/૪/૨૫, અક્ષય તૃતીયાના દિને ધર્મારાધના, જીવદયા, માનવ સેવા, અનુકંપા વિગેરે કાર્યોથી ઉજવણી ગચ્છાધિપતિ, સાધના સમ્રાટ આ.ભ.શ્રી ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદથી પૂ.વિવેકચંદ્રજી મ.સા. આદિ ગુરૂભગવંતો, પૂજય હંસાકુમારી મહાસતીજી, પૂ. રચનાજી મહાસતીજી, પૂ. કોમલજી મહાસતીજી, પૂ. વિશ્વાસીનીજી મહાસતીજી આદિ વિશાળ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ૧ ઉપવાસ, આયંબીલ, એકાસણું તપ તેમજ પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુના ૪૦૦ ઉપવાસની અભિવંદના સહ આદિનાથ ભક્તિયોગ સવારે ૭.૧૫ કલાકે, જૈન આશ્રમમાં વડીલોને શેરડીનો રસપાન, સાથે શ્રીફળનું કીડીયારૂં પૂરવા સાંજે ૫.૦૦ વાગ્યે જવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ.શ્રી પૂ. ભાવચંદ્રજી સ્વામીના સુશિષ્ય પૂ. ધર્મેશચંદ્રજી, પૂ. છોટે ગુરૂદેવ શ્રી વિમલચંદ્રજી, પૂ. ડો. ચિંતન ચંદ્રજી, પૂ.શ્રી શાંતીચંદ્રજી તેમજ વિશાળ સંખ્યામાં પૂ. મહાસતીજીઓની દિક્ષા તીથી નિમિતે વિશિષ્ટ આયોજનો કરવામાં આવેલ છે.

પૂ. ગચ્છાધિપતિ આ. સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ૨૭ સંત સતીજીઓની ચૈત્ર માસની આયંબીલની ઓળી તથા મૌન સાધનાની અનુમોદનાર્થે અનુદાન આપનાર દિલેર દાતાઓની નામાવલિની તકતીનું અનાવરણ દાતા પરિવારોના હસ્તે તા. ૩૦/૪ના સવારે કરવામાં આવશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST