માંડવીમાં ૩ જી મે શનિવાર ના ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજી નો ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે
માંડવીના શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના જિનાલયમાં, શ્રી ભીડભંજન પાર્શ્વનાથજી પ્રભુજીનો ધ્વજારોહણ તા. ૦૩-૦૫ ને શનિવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.
વૈશાખ સુદ-૬ ને શનિવારના ધ્વજારોહણ પ્રસંગે સવારના ૦૯-૩૦ કલાકે, સતરભેદી પુજા, શ્રી શિતલમંડળ તથા ત્રિશલા મંડળની બહેનો ભણાવશે. ત્યાર બાદ ૧૦-૩૦ કલાકે, ધ્વજા સંબંધી ચડાવા તથા ભદ્રેશ્વર વાંકી તિર્થ ની ૧૮ નંબરની ડેરીની ધ્વજાના પણ ચડાવા બોલાશે. ચડાવા બાદ ૧૨-૩૯ કલાકે લાભાર્થીના હસ્તે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવામાં આવનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મિડીયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.