THE INDIAN SOCIOLOGIST

માંડવીમાં ૩ જી મે શનિવાર ના ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજી નો ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

માંડવીમાં ૩ જી મે શનિવાર ના ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજી નો ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે


માંડવીના શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના જિનાલયમાં, શ્રી ભીડભંજન પાર્શ્વનાથજી પ્રભુજીનો ધ્વજારોહણ તા. ૦૩-૦૫ ને શનિવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

વૈશાખ સુદ-૬ ને શનિવારના ધ્વજારોહણ પ્રસંગે સવારના ૦૯-૩૦ કલાકે, સતરભેદી પુજા, શ્રી શિતલમંડળ તથા ત્રિશલા મંડળની બહેનો ભણાવશે. ત્યાર બાદ ૧૦-૩૦ કલાકે, ધ્વજા સંબંધી ચડાવા તથા ભદ્રેશ્વર વાંકી તિર્થ ની ૧૮ નંબરની ડેરીની ધ્વજાના પણ ચડાવા બોલાશે. ચડાવા બાદ ૧૨-૩૯ કલાકે લાભાર્થીના હસ્તે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવામાં આવનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મિડીયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST