21મી એપ્રિલને સોમવારથી હરિદ્વારમાં માંડવીના આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનકુમાર શાસ્ત્રી ના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો શુભારંભ થશે.
માંડવીના આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી શ્રી અશ્વિનકુમાર વ્યાસ (સાહિત્ય રત્ન) ના વ્યાસપીઠે આવતીકાલ તા.21 /4 સોમવારથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો શ્રી નકલંક ધામ હરિદ્વાર (ઉત્તરાખંડ) મધ્યે શુભારંભ થશે.
શ્રી બટુકદાન મોહનદાન ગઢવી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ તા. 21/ 4/ 2025 થી તા.27 /4 /2025 દરમિયાન તા. 21 /4 ને સોમવારના સાંજે 04:00 કલાકે કથાનો શુભારંભ થશે.જ્યારે તા.22 /4 થી 27/ 4 દરમિયાન સવારના 09:00 થી 01:00 વાગ્યા દરમિયાન કથાકાર શ્રી અશ્વિનકુમાર શાસ્ત્રી કથાપાન કરાવનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
મંગલ પોથી યાત્રા તા. 21/ 4 ને સોમવારના બપોરના 03:00 કલાકે થશે. કથા પ્રારંભ તા. 21 /4 ના બપોરે 4:00 કલાકે થશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ તા. 24/ 4 ને ગુરૂવારના સાંજે 04:00 વાગ્યાથી પ્રારંભ થશે.શ્રીકૃષ્ણ- રુક્ષ્મણી વિવાહ તા. 26/4 ને શનિવાર ના સાંજે 04:00 વાગ્યાથી શરૂ થશે. કથા વિરામ તા.27/ 4 ને રવિવારના બપોરના 12:00 કલાકે થશે.
તા. 23/ 4 ના ધ્રુવ વ્યાસ સિતાર સંગ પર રંગત જમાવશે. જ્યારે તા. 25 /4 નાં રાસ- ગરબામાં પાર્થ ઓઝા, બ્રિજરાજ દાન ગઢવી, સાગરદાન ગઢવી, જીગ્નેશભાઈ બારોટ,મયુરભાઈ દવે અને રાજદાન ગઢવી રંગત જમાવશે.
કથા શ્રવણ નો લાભ લેવા માંડવી અને કચ્છ જિલ્લાના બહોળી સંખ્યામાં ભકતો હરિદ્વાર જવાના હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને માંડવીની 33 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કથાકાર શ્રી અશ્વિનભાઈ શાસ્ત્રી (સાહિત્ય રત્ન) માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અને હાલમાં ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.