THE INDIAN SOCIOLOGIST

પત્રી ગામમાં જૈન સંતોએ તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજી.

પત્રી ગામમાં જૈન સંતોએ તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજી.



કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય પ્રશાંત મુનિ અને સમર્પણ મુનિ મ.સા.ના સાનિધ્યમાં તાજેતરમાં પત્રી (તા.મુન્દ્રા)ના જૈન ધર્મ સ્થાનક માં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજી હતી.

આ બાલ સંસ્કાર શિબિરમાં પત્રી ગામ નાં તમામ જ્ઞાતિના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ શિબિરમાં પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત કેવી રીતે લખવા તેની ટેકનિક સમજાવી હતી. દરરોજ ગુરૂ ભગવંતો ના દર્શન કરવા આવનાર બાળકોનું વિશિષ્ટ સન્માન આ શિબિરમાં કરવામાં આવેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST