કાળઝાળ ગરમીથી રાહત આપવા માંડવીમાં" છાશનું પરબ" ખુલ્લું મુકાયું.
દાતાના સહકારથી ભુજની નવચેતન સંસ્થા નું પ્રેરણાદાયી કાર્ય.
પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી જૈનાચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષ અને વર્તમાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂ સુરીશ્વરજી મ.સા.ની પ્રેરણા થી છેલ્લા 15 વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા "નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર "-ભુજ ના ઉપક્રમે, તાજેતર માં માંડવી ના નવાપરા વિસ્તાર માં વટેમાર્ગુઓને કાળઝાળ ગરમીમાં રાહત આપવા "છાસનું પરબ" તાજેતરમાં ખુલ્લુ મુકાયું હતું.
આ નિઃશુલ્ક છાશના પરબના દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા પરિવાર (માંડવી,હાલે ભુજ) હોવાનું સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ નિઃશુલ્ક છાસનું પરબ કચ્છી નૂતન વર્ષ, અષાઢી બીજ સુધી ચાલુ રાખવાની ઘોષણા કરાઈ હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, ઉપરાંત સી.સી. જોશી, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલભાઈ મોતા, ઓજસ શેઠ, કૌશિકભાઇ મહેતા, ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ, વિપુલભાઈ સોલંકી, રમણીકભાઈ સલાટ ,જયંતીલાલ સંઘવી અને મોહન ગઢવી સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.