THE INDIAN SOCIOLOGIST

માંડવીમાં ચાલતા નિશુલ્ક છાશ કેન્દ્રમાં પહેલગામના દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઈ

માંડવીમાં ચાલતા નિશુલ્ક છાશ કેન્દ્રમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હીચકારા કૃત્યને વખોડી કાઢી શહીદી વહોરનારા દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઈ



માંડવીના નવાપરા વિસ્તારમાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર-ભુજ દ્વારા સતત ૧૩મા વર્ષે ચાલતાં નિ:શુલ્ક છાશ કેન્દ્રમાં આજે તા. ૨૭-૪ ને રવિવારના રોજ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હીચકારા કૃત્યને વખોડી કાઢી, શહીદી વહોરનારા દિવંગતોને છાશકેન્દ્ર લાભાર્થીઓ, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, છાશકેન્દ્રના સ્ટાફના અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી અને મધુબેન વ્યાસ તેમજ સહયોગીઓ વિપુલભાઈ સોલંકી અને જેન્તીભાઈ શાહે, બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હોવાનું સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાએ જણાવ્યું હતું.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST