મુન્દ્રા તાલુકાના વાંકી ગામે ચતુવિઁધ સંઘની ઉપસ્થિતિમાં આરાધના વાટિકાનું ઉદઘાટન રંગેચંગે સંપન્ન થયું
19 સાધુભગવંતો અને મહાસતીજીઓની નિશ્રામાં ઉદઘાટન કરાયું
મુન્દ્રા તાલુકાના વાંકીગામે ચતુવિઁધ સંઘની ઉપસ્થિતિમાં ૨૦મી એપ્રિલના રોજ,પૂજ્ય આચાર્યશ્રી નાગ-રત્ન-લઘુ-વિનોદ આરાધના વાટિકાનું ઉદઘાટન, વાંકી આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, રંગેચંગે સંપન્ન થયું હતુ
કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આચાર્ય પ.પૂ. નવીનચંદ્રજી મ.સા., માનવમંદિરના પ્રણેતા પ.પૂ. દિનેશચંદ્રજી મ.સા., કાર્યવાહક તારાચંદમુનિ મ.સા., આગમપ્રેમી સુરેશચંદ્રજી મ.સા., પ.પૂ. દમયંતીબાઈ, પ.પૂ. વિરમણીબાઈ, પ.પૂ. ઉજ્વલાબાઈ મહાસતી સહિત કુલ ૧૯ સાધુભગવંતો અને મહાસતીજીઓની પાવન નિશ્રામાં, દાતાશ્રીઓના હસ્તે, આરાધના વાટિકા નું ઉદઘાટન, બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં થયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
માતૃશ્રી અમૃતબેન રામજી સોજપાલ કેનિયા (કપાયા), જીતેશભાઈ લાલજી સંઘોઈ અને લક્ષ્મીચંદ સંગોઈ (કપાયા) પરિવારો દ્વારા તકિતનું અનાવરણ કરાયું હતું. જેમાં ધાર્મિકભાઈ અને શીતલબેને મુખ્ય તકિતનું અનાવરણ કર્યું હતું
આ પ્રસંગે ગુરૂભગવંતોને કામળી વહોરાવાનો લાભ હિનાબેન અમૃતભાઈ (ભાડીયા)એ લાભ અશોકભાઈ વેલજી ગોગરી (કપાયા) અને સિંહાસન પાટનો લાભ અમૃતબેન રામજી સોજપાર (કપાયા) માતબર ઉછામણીથી લીધો હતો
આ પ્રસંગે કચ્છ આઠકોટી મોટીપક્ષના મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા (ભુજ), જીતેશભાઈ સંગોઈ અને કેતકીબેન કેનિયા એ પ્રાસંગિક પ્રવચનમાં દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી, શુભેચ્છા પાઠવી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ છેડાએ કરેલ હતું જ્યારે સંઘના પ્રમુખ શૈલેષભાઈ છેડાએ આભારદર્શન કરેલ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરાધના વાટિકાના ભૂમિદાતાનો લાભ ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી દેવજી સ્વામી લઘુ ભક્તિધામ (કાંદીવલી-મુંબઈ), માતૃશ્રી મોંઘીબાઈ લાલજી કેશવજી સંગોઈ, હસ્તે:- મલય, કલ્પના અને જીતેશ (કપાયા-કાંદીવલી), માતૃશ્રી જીવીબાઈ વેલજી માણશી સંગોઈ (વાંકીના નિયાણી કપાયા-ચેમ્બુર એ લીધેલ છે.
બાંધકામના દાતાશ્રીઓનો લાભ રામજી સોનપાર કેનિયા (હસ્તે:- ધર્મપત્નિ અમૃતબેન રામજી કનિયા, પૌત્ર, પૌત્રવધુ અ.સૌ. સંતોષી મીત કેનિયા, પૌત્ર વિન્મય દીપક કેનિયા (કપાયા) એ લીધેલ છે.
મુંબઈથી સંઘ રૂપે લઈ જવાના દાતાનો લાભ માતુશ્રી ભાણબાઈ વીરજી નથુ નંદુ (હસ્તે:- સુપુત્ર પોપટલાલ અને ભરત નંદુ) એ લીધેલ છે.
તા. ૧૯-૦૪ ના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી મોંઘીબાઈ લાલજી કેશવજી સંગોઈ (કપાયા) અને તા. ૨૦-૦૪ ના સાધર્મિક ભક્તિનો લાભ રામજી સોનપાર કેનિયા (કપાયા) હસ્તે:- ધર્મપત્નિ અમૃતબેન રામજી સોનપાર કેનિયા એ લીધેલ હતો.
વાંકી આઠકોટી મોટીપક્ષ મુખ્ય સ્થાનકને અડીને એક હજાર ફૂટની જગ્યામાં સાતાકારી રૂમો આદિ વિસ્તૃતીકરણ રૂમ પૂજ્ય આચાર્યશ્રી નાગ-રત્ન-લઘુ-વિનોદ આરાધના વાટિકા ના ઉદઘાટન કાર્યક્રમમાં સંઘોના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, ગામવાસી ઓ, નિયાણી બહેનો ઉપરાંત માંડવી,ભુજ,કપાયા, પત્રી, છસરા તેમજ મુંબઈથી બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને, ઉદઘાટન કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હોવાનું માંડવીના સામાજિક જૈન આગેવાન દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.