THE INDIAN SOCIOLOGIST

શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘમાં અક્ષયતૃતીયાના અનેક વિધ આયોજનમાં પાંચેગચ્છના ભાવિકો જોડાયા

શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘમાં અક્ષયતૃતીયાના અનેક વિધ આયોજનમાં પાંચેગચ્છના ભાવિકો જોડાયા



પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી સ્વામીના સુશિષ્ય મુનિશ્રી વિવેકચંદ્રજી સ્વામી. શ્રી ગૌતમચંદ્રજી સ્વામી. શ્રી અરિહંતચંદ્રજી સ્વામી ની નિશ્રામાં અક્ષયતૃતીયા તા. ૩૦/૪ના પ્રભુ આદિનાથ ભકિતયોગ સાથે પાંચેયગચ્છના સામૂહિક સામાયિક થયા હતા. તો આયંબિલ ઓળી–મહાવીર જયંતિ આદિ નિમિત્તે છ કોટિ સંઘમાં દાન આપનાર દાતાઓની સુવર્ણ તકતીનું અનાવરણ કરવામાં આવેલ.

અક્ષયતૃતીયાના તપસ્વીઓનો રસપાનનો દિવસ હોઈ ભાવિકો દ્વારા રસ કળશમાં અર્પણ કરાયેલ રકમનો સદુપયોગ કરવા માંડવી જૈન વૃધ્ધા શ્રમના વડિલોને, વટે માર્ગુઓને શેરડીનો રસ પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ. આ સાથે કીડીયારું પૂરવા સામૂહિક રીતે શ્રીફળ લઈને જૈન પાઠશાળાના બાળકો, મહિલા મંડળ અને સંઘના ભાવિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શશીભાઈ ગાંધીનો વિશેષ સહયોગ મળેલ.

પૂ. શ્રી ધર્મેશચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વિમલચંદ્રજી સ્વામી, પૂ. શ્રી ચિંતન ચંદ્રજી સ્વામી, પૂ. શ્રી શાંતિચંદ્રજી સ્વામીની દીક્ષા તિથિ નિમિત્તે જૈન વૃધ્ધાશ્રમ માંડવીમાં રસપુરીનાં ભોજનનું આયોજન કરાયું હતું.

અખાત્રીજનો શુભ દિવસ હોઈ આદિનાથ પ્રભુના ભક્તિયોગમાં સામૂહિક ઉપવાસ, આયંબિલ કરાવવામાં આવેલ. શ્રી છ કોટિ સંઘના ઉપાશ્રયમાં લગભગ ૨૦૦ ભાવિકોએ ભકતામર પ્રાર્થના અને અક્ષય તૃતીયાનું મહત્વ સમજાવવામાં આવેલ. આ પ્રસંગે માંડવીમાં બિરાજમાન પૂ. શ્રી હંસાબાઈ મ.સ.ના સુશિષ્યા શ્રી અર્પિતાજી મ.સ.ને ૩૭મી દીક્ષા જયંતિની શુભકામના આપવામાં આવેલ.

જયેશભાઈ શાહે હિસાબ રજૂ કર્યો હતો.

સંઘપ્રમુખશ્રી પુનીતભાઈ વી. ભાછા, પુનીત એમ. શાહ, જયેશ શાહ, વિ. એ સંઘ વ્યવસ્થા સુપેરે કરી હતી. અને દાતાઓનો આભાર માન્યો હતો અને શ્રી રચનાજી આર્યાજી, વિશ્વાસિનીજી આર્યાજી, શ્રી કોમલજી આર્યાજી વિ. પધાર્યા હતા. દૈનિક પ્રવચન રોજ સવારે ૭.૧૫ મિનિટે ચાલુ છે.

વાડીલાલભાઈ દોશી, પુનીતભાઈ ભાછા, પુનીતભાઈ શાહ, નીતીનભાઈ ગાંધી, ભરતભાઈ ગાંધી, નવીનભાઈ ગાંધી, શશીભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ ગાંધી, મિતેશભાઈ ગાંધી, મનસુખભાઈ ગાંધી, રાજુભાઈ ભાછા, મહેશભાઈ લાકડાવાળા, યોગેશભાઈ પટવા, શોભનાબેન પટવા, વિગેરે ના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

પૂ. ગુરૂદેવ અને મહાસતીજીની દીક્ષા તીથી નિમિત્તે પ્રદિપભાઈ વૃજલાલ શાહ પરિવાર દ્વારા જીવદયા માટે રૂા. ૨૦ હજાર જય જીનેન્દ્ર ભકિત મંડળને તથા રૂા. ૨૦ હજાર અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા રાહુલભાઈ સંઘવી, શીતલભાઈ સંઘવી, અશ્વીનભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, પુનિતભાઈ, ચિંતનભાઈ મહેતા દિનેશભાઈ એમ. શાહ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST