૩ જી મે ને શનિવારના રોજ વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા નરેશમુનિ અને તેમના શિષ્ય ઓજસમુનિ મહારાજ સાહેબ ભોજાય ગામે પધારશે
કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરૂવર્ય ધીરજલાલજી સ્વામીના શિષ્યરત્ન અને વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા પ.પૂ. નરેશમુનિ "આનંદ" અને તેમના શિષ્ય ઓજસમુની "મંગલ" મહારાજ સાહેબ તા. ૦૩-૦૫ ને શનિવારના રોજ માંડવી તાલુકાના ભોજાય ગામે પધારશે.
બંને જૈનસંતો હાલમાં દેવલાલી (મહારાષ્ટ્ર) માં બિરાજમાન છે. બંને જૈન સંતો તા. ૦૩-૦૫ ને શનિવારના રોજ ભોજાય (તા. માંડવી) ગામે પધારશે.
બંને જૈનસંતો ભોજાય ગામે સ્થિરતા કરી, તા. ૧૩-૦૫ થી ૨૧-૦૫ સુધી નંદી સરોવર (તા.મુન્દ્રા), તા. ૨૨-૦૫ થી ૧૦-૦૬ ભુજપુર (તા.મુન્દ્રા), તા. ૧૧-૦૬ થી ૨૫-૦૬ નાના ભાડીયા (તા.માંડવી) અને ૨૬-૦૬ થી ૨૭-૦૬ બે દિવસનું માપર (તા.માંડવી) માં સ્થિરતા કરીને તા.૨૮-૦૬ ના સવારના ભોજાય (તા.માંડવી) ગામે ચાતુર્માસ પ્રવેશ કરનાર હોવાનું પૂ. નરેશમુની પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડો. દિનેશભાઈ જોષી, ઉપપ્રમુખ જયેશભાઈ જી.શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.