THE INDIAN SOCIOLOGIST

જનકલ્યાણ મેડીકલ સોસાયટી મધ્યે સાધુ–સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ સારવાર ઉપાશ્રયનું તા.૧-૫ના લોકાર્પણ

જનકલ્યાણ મેડીકલ સોસાયટી મધ્યે ગીતા સ્મૃતિ અને મધુમણી સ્મૃતિ સાધુ–સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ સારવાર ઉપાશ્રયનું તા.૧-૫ના લોકાર્પણ થશે


આરોગ્ય ક્ષેત્રે છેલ્લા ૩૨ વર્ષથી કાર્ય કરતી માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત કચ્છમાં સૌ પ્રથમ ગીતા સ્મૃતિ અને મધુમણી સ્મૃતિ સાધુ-સાધ્વી ભગવંત વૈદકીય વૈયાવચ્ચ (સારવાર) કેન્દ્ર માતુશ્રી હીરાકુંવર નાનજી ચાંપશી શાહ પરિવાર (મેરાઉ–ગાંધીધામ-વડોદરા-વાંદરા) ખુશ, વિઆન, ખ્યાતીનમ ફાઉન્ડેશનના નિર્માણ પામેલ ૧૬ સાધુ ભગવંતો તથા ૧૬ સાધ્વી ભગવંતોને આઈ.સી.યુ. સાથેની મેડીકલ સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે જેનું લોકાર્પણ તા.૧-૫-૨૫, ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાય ભ. શ્રી પૂર્ણભદ્રસાગરજી મ.સા., અજરામર સંપ્રદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી મ.સા. આદિ વિશાળ ગુરૂભગવંતો, સાધ્વી ભગવંતો નિશ્રા પ્રદાન કરશે.

આ પ્રસંગે પ્રિન્સ પાઈપ સીસ્ટમ મુંબઈના તરલાબેન જયંતભાઈ છેડા–ડોણવાળાના હસ્તે એમ્બ્યુલન્સની ચાવી જનકલ્યાણ મેડીકલ સોસાયટીને અર્પણ કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસનરત્ન નવકાર મહામંત્ર આરાધક શ્રી નરેન્દ્રભાઈ નંદુ, જય–કયવન- મેઘનંદુ ધ્વારા કરવામાં આવશે. પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી તથા સમસ્ત ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST